Morning breakfast tips:જો આપ તંદુરસ્ત રહેવા માંગો છો તો આ ફૂડને ખાલી પેટ ખાવાની આદત પાડો. તેનાથી વજન પણ નહીં વધે અને આપ તંદુરસ્ત પણ રહી શકશો.


પપૈયા એક એવું ફળ છે. જેને સવારે ખાલી પેટ ખાવાથી અનેક ગણો ફાયદો થાય છે. વેઇટ લોસમાં મદદ મળવાની સાથે તેનાથી સ્કિન પણ ગ્લોઇંગ બને છે.


ખાલી પેટ તરબૂચ ખાવાથી શરીર દિવસભર હાઇડ્રેઇટ રહે છે. ગરમીમાં આપ નાસ્તામાં તરબૂચને સામેલ કરો. તેનું જ્યુસ બનાવીને પણ પી શકો છો.


પાચનતંત્રથી સંબંધિત દરેક સમસ્યાથી છૂટકારો અપાવા માટે ખાલી પેટે કિવી લેવાની સલાહ અપાઇ છે. હિમોગ્લોબિન વધારવાની સાથે કિવિ સ્કિનને પણ હેલ્થી રાખે છે. બેરીઝ પણ નાસ્તા માટે બેસ્ટ ઓપ્શન છે. રાસબેરી, બ્લૂબેરી,સ્ટ્રોબેરીને આપ નાસ્તામાં સામેલ કરો.


ખાલી પેટ બદામનું સેવન અચૂક કરો, તેના અનેક ફાયદા છે. તે દિવસભર એનર્જેટિક રાખે છે, જે આપને એક્ટિવ રાખવામાં મદદ કરશે, રાત્રે બદામના પાંચ દાણા પલાળી દો. જેનું સવારે સેવન કરો. સ્કિન હેલ્ધી રાખવાની સાથે આંખની રોશની પણ વધારશે


Health tips : આ કારણે  ચહેરા અને શરીર પર નીકળે છે, મસ્સા,  જાણો એક્સ્પર્ટે શું આપી સલાહ


Health tips : સૌથી પહેલા મસ્સાની વાત કરીએ કે આખરે મસ્સા શું છે. મસ્સા એક પ્રકારનું ત્વચાનું સંક્રમણ છે. જે હ્યુમન પેપિલોમા વાયરસના કારણે વ્યક્તિના શરીરમાં થાય છે. મસ્સા એક પ્રકારનું વાયરસ સંક્રમણ છે. જેના કારણે ત્વચા પર ડાઘ થઇ જાય છે અને કરચલીઓ પડી તે ઉપસી આવે છે. 


સમાન્ય રીતે પિમ્પલ અને ડાઘ ધબ્બા ચહેરા પર થવા ખુબ સામાન્ય સમસ્યા છે. પરંતુ શું આપ જાણો છો કે, તેને નજર અંદાજ કરવું મોટી ભૂલ સાબિત થઇ શખે છે. કારણ કે નાનકડો મસ્સો બાદમાં મોટી બીમારીનું રૂપ ધારણ કરી શકે છે.આપને એ જાણવું જરૂરી છે કે, મસ્સા એક કેન્સરનું રૂપ પણ ધારણ કરી શકે છે. પેપિલોમા વાયરસના કારણે મસ્સા થાય છે. જે વધુ દાઢીની આસપાસના એરિયામાં થાય છે. 


મસ્સા શા કારણે થાય છે?
સૌથી પહેલા વાત કરીએ મસ્સા કેમ થાય છે. આ એક ત્વચાનું સંક્રમણ છે. જે હ્યુમન પેપિલોમા વાયરસના કારણે વ્યક્તિના શરીરમાં થાય છે. ચહેરા પર જનનાંગો પર વધુ મસ્સા થાય છે. કેટલીક વખત ત્વચા સાફ ન રાખવાના કારણે પણ મસ્સા થાય છે. માટી ઘૂળની ચહેરા જામી જાય છે અને ધીરી ધીરે તે મસ્સાનું રૂપ ધારણ કરે છે. 


પાર્લર અથવા સલૂનમાં પૂરૂષ અથવા મહિલાઓ દ્વારા વેક્સિંગ કરવાવતી વખતે સામાન્ય રીતે સંક્રમણ થાય છે.  એટલા મા
 આઇબ્રો અને દાઢીની આસપાસ મસ્સા એક સામાન્ય બાબત છે. આ સિવાય કોઇએ યુઝ કરેલ નેપકિન, ટૂવાલ યુઝ કરવાથી પણ સંક્રમણ થઇ શકે છે. જે લોકોની રોગપ્રતિકારકશક્તિ નબળી હોય છે. મધુપ્રમેહ હોય છે તેમને આ બીમારી વધુ થવાની શક્યતા રહે છે. 



મસ્સાના 4 પ્રકાર હોય છે
પહેલા પ્રકારની વાત કરીએ તો તે હાથમાં થાય છે અને તે કોમન મસ્સા હોય છે
બીજા પ્રકારના મસ્સા માથા અને ચહેરાના ભાગમાં સૌથી વધુ થાય છે.
ત્રીજા પ્રકારના મસ્સા વધુ પગમાં અને ઘૂંટણમાં થાય છે, જે દુખાવનાનું કારણ પણ બને છે. 
ચોથો પ્રકાર જનનાંગ પર હોય છે, જે આપને લિંગ એટલે કે, યોની કે મળાશયની પાસે થઇ શકે છે. જેને જેનિટલ મસ્સા કહે છે.આ મસ્સા  આપને  યૌન સંચારિત  સંક્રમણને વધારે છે. તેમજ યૌન સંપર્કના માધ્યમથી બીજામાં ફેલાઇ છે. 
એચપીવી અને જેનિટલ  મસ્સા કેટલાક પ્રકારના કેન્સર સાથે જોડાયેલા છે. જેમાં ગર્ભાશય, ગળાનું  કેન્સર સામેલ છે. 


શેવિંગ કરતી વખતે હાઇજિનનું ધ્યાન રાખો
નખથી તેને દૂર કરવાની કોશિશ ન કરો રો
ટુવાલ, નેપકિન,  નેઇલ ક્લિપર્સ અન્ય અંગત સામાન શેર કરવાનું બંધ કરે છે
HPV વેક્સિન લગાવો અને કોન્ડોમનો ઉપયોગ કરો
મસાને અન્ય જગ્યાએ ફેલાતો અટકાવવા માટે પગને સૂકા રાખો અને ત્વચાને સ્વચ્છ રાખો.