Health: સ્વાદુપિંડનું કેન્સર એક જીવલેણ રોગ છે જેમાં સ્વાદુપિંડમાં કેન્સરના કોષો વધવા લાગે છે. આ કેન્સરમાં જીવ બચાવવો ખૂબ જ મુશ્કેલ બની જાય છે કારણ કે તેના પ્રારંભિક તબક્કામાં કોઈ લક્ષણો દેખાતા નથી, પરંતુ જેમ જેમ રોગ ગંભીર થવા લાગે છે, તેના લક્ષણો દેખાવા લાગે છે. જાણો તેના લક્ષણો શું છે અને તમે તેના જોખમી પરિબળોને કેવી રીતે ઘટાડી શકો છો.


કેન્સર એક ગંભીર રોગ છે, જે સમયસર ઓળખવામાં ન આવે તો જીવલેણ સાબિત થઈ શકે છે. આ રોગના ઘણા પ્રકારો છે, જે વિશ્વભરમાં મૃત્યુનું બીજું સૌથી મોટું કારણ માનવામાં આવે છે. કેન્સર શરીરના જે ભાગને અસર કરે છે તેના નામથી ઓળખાય છે. તેવી જ રીતે સ્વાદુપિંડમાં થતા કેન્સરને સ્વાદુપિંડનું કેન્સર કહેવાય છે. ચાલો જાણીએ તેના લક્ષણો અને તેનાથી સંબંધિત મહત્વની બાબતો.


સ્વાદુપિંડ એક ગ્રંથિ છે, જે પેટમાં હોય છે. તે ઇન્સ્યુલિન ઉત્પન્ન કરે છે, જે બ્લડ સુગરને નિયંત્રિત કરવા માટે જરૂરી છે, અને પાચન ઉત્સેચકો પણ મુક્ત કરે છે, જે ખોરાકને પચાવવા માટે જરૂરી છે. સ્વાદુપિંડના કેન્સરમાં, સ્વાદુપિંડના કોષોમાં અસામાન્ય ફેરફારો થાય છે અને કોષો અનિયંત્રિત રીતે વધવા લાગે છે. કોષોની અનિયંત્રિત વૃદ્ધિને કારણે ગાંઠો રચાય છે, જે જીવલેણ બની શકે છે. તેથી, સમયસર તેનું નિદાન થવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.                        


આ કારણે છે સાયલન્ટ કિલર


નિષ્ણાતના મુજબ પ્રારંભિક તબક્કે કોઈ લક્ષણો નથી અનુભવાતા, તેથી જ તેને પ્રારંભિક તબક્કે શોધવું ખૂબ મુશ્કેલ છે. જો કે, એકવાર ગાંઠ બનવાનું શરૂ થાય છે, તેના લક્ષણો દેખાવા લાગે છે. જો કે ત્યાં સુધીમાં  તે નોંધપાત્ર રીતે વિકસ્યું હોય છે.  તેની સારવાર શરૂ કરવામાં ઘણી વાર વિલંબ થાય છે અને ત્યાં સુધીમાં કેન્સર શરીરના અન્ય ભાગોમાં ફેલાઇ જાય  જાય છે.


તેના લક્ષણો ક્યાં  છે?



  • પેટ અથવા પીઠનો દુખાવો

  • કમળો

  • વજનમાં ઘટાડો

  • ભૂખ ન લાગવી

  • થાકી જવું

  • ખંજવાળ આવવી

  • પેટનું ફૂલવું અથવા ગેસની સમસ્યા

  • ડાયાબિટીસ

  • હાથ અથવા પગમાં દુખાવો અને સોજો

  • ઉલટી અથવા ઉબકા