Curd:દહીંનો સ્વાદ આપણને બધાને આકર્ષે છે, તેથી જ આપણે તેને દરેક ભોજન સાથે ખાવાનું પસંદ કરીએ છીએ અને તેને વિવિધ વાનગીઓમાં સામેલ કરવાનું ભૂલતા નથી. દહીંના ઘણા ફાયદા છે, તે આપણા પેટને ઠંડુ રાખે છે અને પાચન સંબંધી સમસ્યાઓથી બચાવે છે. તેમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે હાડકા અને દાંતને મજબૂત બનાવે છે. પરંતુ શું તમે દહીંને માટીના વાસણમાં સ્ટોર કરો છો કે પછી સ્ટીલના બાઉલનો ઉપયોગ કરવાનું પસંદ કરો છો. માટીમાં જમાવવાના ફાયદા જાણી લો


પહેલાના જમાનામાં આપણા ઘરોમાં માટીના વાસણમાં દહીં જમાવવામાં આવતું હતુ., પરંતુ બદલાતા સમયમાં સ્ટીલના વાસણોએ તેનું સ્થાન લીધું છે. આજકાલ ઘણા લોકો ઘરે પણ દહીં બનાવવાની તસ્દી લેતા નથી, તેના બદલે તેઓ તેને બજારમાંથી ખરીદે છે. આવો જાણીએ કે જો આપ માટીના વાસણમાં દહીં મુકો તો શું ફાયદા શું છે.


દહીં ઝડપથી સેટ થાય છે


ઉનાળામાં, દહીં સરળતાથી અને ખૂબ જ ઝડપથી સેટ થઈ જાય છે, પરંતુ તે શિયાળામાં મોડું થાય છે કારણ કે તેને ખાસ તાપમાનની જરૂર હોય છે. જો તમે માટીના વાસણમાં દહીં રાખો છો, તો તે દહીંને ઇન્સ્યુલેટ કરશે અને શિયાળાની ઋતુમાં પણ તે ઝડપથી સેટ થઈ જશે.


દહીં જાડું થાય છે


માટીના વાસણમાં દહીં રાખવાનો સૌથી મોટો ફાયદો એ છે કે, તે દહીંને ઘટ્ટ કરે છે, કારણ કે માટીના વાસણો પાણીને શોષી લે છે, જેના કારણે દહીં ઘટ્ટ થવા લાગે છે. તેનાથી વિપરીત, જો તમે સ્ટીલ અથવા એલ્યુમિનિયમના બાઉલમાં દહીં મૂકો છો, તો આવું થતું નથી.


કુદરતી ખનિજો ઉપલબ્ધ થશે


જો તમે સ્ટીલ અથવા એલ્યુમિનિયમને બદલે માટીના વાસણમાં દહીં મૂકો છો, તો શરીરના કુદરતી ખનિજો ઉપલબ્ધ થશે, જેમાં આયર્ન, ફોસ્ફરસ, મેગ્નેશિયમ અને કેલ્શિયમનો સમાવેશ થાય છે.


ધરતીનો સ્વાદ મળશે


તમે ઘણીવાર જોયું હશે કે જ્યારે પણ માટીના વાસણમાં દહીં રાખવામાં આવે છે, ત્યારે તેમાંથી માટી પણ સુગંધ આવે છે.  જેના કારણે દહીંનો ટેસ્ટ વધુ સારો થઈ જાય છે.