OBC Certificate Application: OBC માટેનાં નોન ક્રીમીલેયર અને સામાજિક-શૈક્ષણિક પછાતનાં સર્ટિફિકેટ કઈ રીતે કઢાવશો ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 27 Aug 2020 08:33 AM (IST)
How to Get OBC Certificate: OBC સમાજની જ્ઞાતિઓમા જે પરિવારની વાર્ષિક આવક 8 લાખ રૂપિયાથી ઓછી હોય તેમને અનામતનો લાભ મળે છે. અનામત સહિતના સરકારી લાભો મેળવવા માટે નોન ક્રીમીલેયર સર્ટિફિકેટ જોડવું જરૂરી છે.
અમદાવાદઃ ભારતમાં સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ(SEBC)ના ઉમેદવારો માટે 27 ટકા અનામતની જોગવાઈ છે. મતલબ કે, સરકારી નોકરીઓમાં જેટલી જગા હોય તેમાંથી 27 ટકા જગાઓ અને શૈક્ષણિક સંસ્થાઓની 27 ટકા બેઠકો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ(SEBC)ના ઉમેદવારો માટે અનામત હોય છે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ(SEBC)ને સામાન્ય રીતે અન્ય પછાત વર્ગ (OBC) તરીકે ઓળખવામાં આવે છે. આ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ(SEBC) અથવા તો અન્ય પછાત વર્ગ (OBC) માટેની અનામતનો લાભ મેળવવા માટે આ વર્ગમાં આવતી જ્ઞાતિના ઉમેદવારોએ સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર અને નોન ક્રીમી લેયર સર્ટિફિકેટ કઢાવવાં ફરજિયાત છે. આ બંને સર્ટિફિકેટ સિવાય તેમને ઓબીસી અનામતનો લાભ ના મળે. આ બંને સર્ટિફિકેટ કઈ રીતે કઢાવવાં તેની પ્રક્રિયા આ પ્રમાણે છે. નોન ક્રીમીલેયર સર્ટિફિકેટ OBC સમાજની જ્ઞાતિઓમા જે પરિવારની વાર્ષિક આવક 8 લાખ રૂપિયાથી ઓછી હોય તેમને અનામતનો લાભ મળે છે. અનામત સહિતના સરકારી લાભો મેળવવા માટે નોન ક્રીમીલેયર સર્ટિફિકેટ જોડવું જરૂરી છે જરૂરી ડોક્યુમેન્ટ્સઃ નોન ક્રીમીલેયર સર્ટિફિકેટ કઢાવવા માટે નીચેના પુરાવાઓની પ્રમાણિત નકલ નિયત ફોર્મ ભરીને તેની સાથે જોડવાની રહેશે. આ ફોર્મ કોઈ પણ જનસેવા કેન્દ્રમાંથી મળી જશે.
અરજદારના પિતા અને પિતા ન હોય તો માતાનું નોન ક્રિમિલેયર અંગેની એફિડેવિટ એટલે કે સોગંદનામું
રહેઠાણના પુરાવા તરીકે રેશનકાર્ડ, લાઈટબીલ, મ્યુનિસિપલ ટેક્ષ બીલ, મતદાર ઓળખ કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ અથવા રહેણાંક સાબિત કરતા અન્ય આધારભૂત પુરાવા જેમાં અરજદારના હાલના સરનામાનો ઉલ્લેખ હોય ( આ પૈકી ગમે તે એક)
અરજદારના પિતા/માતાના છેલ્લા ત્રણ વર્ષના આવકના પુરાવા
ખેતીની જમીન ધારણ કરનારે 7/12ના ઉતારાની નકલ રજૂ કરવી
ફીઃ રૂપિયા 20ફોર્મ ક્યાં આપવુઃ આ ફોર્મ સાચી વિગતો સાથે ભરીને અને જરૂરી પુરાવા સાથે જોડીને કોઈ પણ જન સેવા કેન્દ્રમાં આપવું. ગ્રામીણ વિસ્તારમાં મામલતદાર કચેરીમાં જનસેવા કેન્દ્ર હોય છે. સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર મેળવવા પોતાના રહેણાક વિસ્તારના મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રીને, પરિશિષ્ટ 1/39 મુજબ નિયત ફોર્મમાં અરજી કરવાની હોય છે. આ ફોર્મ કોઈ પણ જિલ્લાના કલેક્ટરશ્રીની વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકાય છે અથવા જનસેવા કેન્દ્રમાંથી મેળવી શકાય છે. આ અરજી જનસેવા કેન્દ્રમાં જ જમા કરાવવાથી પ્રમાણપત્ર મળી જશે. કેટલા દિવસમાં પ્રમાણપત્ર મળેઃ કુલ 1 દિવસ. ફીઃ રૂપિયા 20 /-જરૂરી ડોક્યુમેન્ટ્સઃ નીચેના પુરાવાઓની પ્રમાણિત નકલ જોડવી