Parenting Tips:શું આપણે બાળકોને મારવાથી શિસ્ત શીખવી શકીએ છીએ, જાણો તેની શું અસર થાય છે?

How to teach kids: ઘણા વાલીઓ પોતાના બાળકોને ભણાવવા માટે માર પણ મારતા હોય છે. ચાલો જાણીએ આ કેટલું સાચુ છે કે ખોટું.

Continues below advertisement

બાળકોને ઉછેરવા એ સેહલું કામ નથી. આ વાત નવા માતા-પિતા બનેલા કાપલો ખૂબ જલ્દી સમજી જાય છે, શરૂઆતમાં તેઓને લાગે છે કે બાળકો આરામથી મોટા થઈ જશે, પરંતુ ધીમે ધીમે આની મુશ્કેલી સમજાય છે. પેરેન્ટિંગનો મતલબ ખાલી બાળકોને નવળવવા-ધોવળવવા નથી,પરંતુ તેમાં પ્રેમ,લાળ-દુલાર વગેરે પણ સામેલ છે.આને જ સારા માતા-પિતાની નિશાની માનવામાં આવે છે. જો કે, મોટા થતા બાળકો ધીમે ધીમે ગેરવર્તન કરવાનું શરૂ કરે છે. કેટલીકવાર તેઓ એવા કામ પણ કરે છે જેના માટે તમે સહમત નથી હોતા. આવી પરિસ્થિતિઓમાં, માતા-પિતા ક્યારેક તેમના બાળકોને મારતા પણ હોય છે. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે શું બાળકોને શિસ્ત શીખવવા માટે માર મારવો યોગ્ય છે? આનાથી બાળકોને શું નુકસાન થઈ શકે છે?

Continues below advertisement

બાળકોને ગંભીર ઈજા થઈ શકે છે
બધા માતા-પિતા પોતાના બાળકને શરૂઆતથી જ શિસ્તબદ્ધ રાખવા માંગે છે. ચોક્કસ તમારો ઇરાદો સારો છે, પરંતુ બાળકોને શિસ્ત શીખવવા માટે માર મારવો તે યોગ્ય નથી. તમે બાળકોને અન્ય રીતે પણ શિસ્તબદ્ધ રહેવાનું શીખવી શકો છો. વાસ્તવમાં, બાળકોને માર મારવાથી ગંભીર ઈજાઓ પણ થઈ શકે છે, જેના કારણે તેમને જીવનભર સંઘર્ષ કરવો પડી શકે છે.

બાળકો પર ખરાબ અસર પડે છે
લડાઈની બાળકો પર ખૂબ જ ખરાબ અસર પડે છે. તેનાથી તેમનું માનસિક સંતુલન પણ બગડી શકે છે. તેઓ હંમેશા ડરી શકે છે અને તેમનો આત્મવિશ્વાસ પણ ખોવાઈ શકે છે. આવા બાળક પોતાના ભવિષ્યને લગતા નિર્ણયો લઈ શકતા નથી, જેના કારણે તેની કારકિર્દી પણ બરબાદ થઈ શકે છે. તે જ સમયે, તે ડિપ્રેશનમાં પણ જઈ શકે છે, જેના કારણે તેનું ભવિષ્ય સંપૂર્ણપણે બરબાદ થઈ શકે છે.

બાળકોની સ્થિતિ આ હોઈ શકે છે
ભલે તમે બાળકને શિસ્ત આપવા માટે તેને મારતા હોવ, તે હજી પણ તેના માટે સજા છે. આવી પરિસ્થિતિઓમાં, તેઓ ભૂલો કરે છે અને તેને છુપાવવા માટે જૂઠું બોલતા શીખે છે. આ સિવાય તેમનું વર્તન પણ આક્રમક હોઈ શકે છે. તેની અસર તેમના શિક્ષણ પર પણ જોવા મળે છે. ખાસ વાત એ છે કે બાળકો માર મારવાથી કંઈ શીખતા નથી.

બાળકોને માર મારવો એ પણ કાયદાકીય રીતે અપરાધ છે
નોંધનીય છે કે બાળકોને માર મારવો એ પણ કાયદાકીય રીતે ખોટું છે. વિશ્વના ઘણા દેશોમાં, માતાપિતાને તેમના બાળકોને મારવા માટે જેલમાં પણ મોકલવામાં આવે છે. ભારતમાં પણ બાળકોને, માર મારવા અને ધમકાવવા માટે માતા-પિતાને સજાની જોગવાઈ છે. આવા મામલામાં માતા-પિતા વિરુદ્ધ કેસ નોંધવામાં આવી શકે છે અને જો તે દોષિત સાબિત થાય તો તેમને છ મહિના સુધીની જેલ થઈ શકે છે.

Continues below advertisement
Sponsored Links by Taboola