Immunity Booster:  કોવિડ -19ની ત્રીજી લહેરમાં ન્યૂ ડેલ્ટા વેરિયન્ટ બાદ ઓમિક્રોન હવે  લોકોને ડરાવી રહ્યો છે.  આ સ્થિતિમાં આપને આપની ઇમ્યુનિટી મજબૂત રાખવાની જરૂર છે. રોગ પ્રતિકારક શક્તિ મજબૂત હોવાથી આપ અનેક પ્રકારની બીમારીથી બચી શકો છો. આપ આ પાંચ ચીજોથી આપની ઇમ્યુનિટી બૂસ્ટ કરી શકો છો.


મશરૂમ ખાવાથી ઇમ્યુનિટી વધે છે. મશરૂમમાં વિટામિન ડી સહિતના અનેક પોષકતત્વો છે. મશરૂમ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. ઇમ્યુનિટીને મજબૂત કરવા માટે મશરૂમ ખાવું જોઇએ.


ઇમ્યુનિટીને વધારવા માટે આપને ખાવામાં નારિયેળ તેલનો ઉપયોગ કરવો જોઇએ. રસોઇ બનાવવા માટે ખાવાનું નારિયેળ તેલનો ઉપયોગ કરી શકાય. તે એક સારૂ ઓપ્શન છે. તેનાથી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે.


ફુદીનાનાના પાનથી પણ ઇમ્યુનિટી વધે છે. તેમાં વધુ માત્રામાં  વિટામિન સી, ફોસ્ફરસ અને કેલ્શિયમ હોય છે. ગરમીમાં ફુદીનો ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બને છે.


ઇમ્યુનિટી વધારવા માટે લીલા પાનવાળા શાક પણ એક સારૂ ઓપ્શન છે. આપ ડાયટમાં પાલકને સામેલ કરો. તેનાથી સ્વાસ્થ્યને અનેક પ્રકારના ફાયદા મળે છે. પાલકમાં આયરન, વિટામિન ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે. તેનાથી ઇમ્યૂનિટી મજબૂત બને છે.


 બ્રોકલીને ડાયટમાં અવશ્ય સામેલ કરો, તેનાથી હેલ્થને અનેકગણો ફાયદો થાય છે. તે ઇમ્યુનિટીને બૂસ્ટ કરે છે.આપ સલાડ, સબ્જી કે સૂપના રૂપે પણ બ્રોકલી લઇ શકો છો. બ્રોકલી ખાવાથી શરીરને વિટામીન અને એન્ટીઓક્સિડન્ટ ગુણ મળે છે અને તેનાથી ઇમ્યુનિટી મજબૂત બને છે.


Winter tips: શિયાળામાં દૂધમાં ઘી નાખીને પીવાથી આ 5 બીમારીથી મળે છે છૂટકારો


શિયાળાની ઋતુમાં રોગપ્રતિકારક શક્તિ નબળી પડવા લાગે છે અને અનેક પ્રકારની બીમારીઓ શરીરને પરેશાન કરવા લાગે છે. આ ઋતુમાં સાંધાનો દુખાવો, શરદી, ફ્લૂ, ઊંઘની સમસ્યા, ત્વચાની સમસ્યા અને શ્વાસની તકલીફ થઈ શકે છે. આવી સ્થિતિમાં જો ખાવા-પીવામાં ધ્યાન ન રાખવામાં આવે તો શરીરને અનેક પ્રકારના નુકસાન થઈ શકે છે. પોષક તત્વોથી ભરપૂર દૂધમાં પ્રોટીન, કેલ્શિયમ, રિબોફ્લેવિન, વિટામીન A, D, K, E, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, આયોડિન, ઘણા ખનિજો, ચરબી અને ઉર્જા પણ હોય છે, જે સારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. ઘીમાં વિટામિન A, D, E હોય છે. શિયાળાના ઘીમાં વિટામિનનું પ્રમાણ વધે છે.


ઠંડા વાતાવરણમાં મોસમી રોગોથી બચવા માટે દૂધ સાથે ઘીનું સેવન કરો. જો તમે ઠંડીમાં ગરમ દૂધમાં એક ચમચી ઘી નાખીને પીશો તો શરીરને ઘણા ફાયદા થઈ શકે છે. દૂધમાં ઘીનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત રહે છે અને ઊંઘ સારી રહે છે. ચાલો જાણીએ કે રાત્રે દૂધમાં ઘી નાખીને પીવાથી સ્વાસ્થ્યને શું ફાયદા થાય છે.



સાંધાના દુખાવામાં રાહત
જો આપ  શિયાળામાં સાંધાના દુખાવાથી પરેશાન રહેતા હો તો દૂધમાં ઘીનું સેવન કરો. દૂધ સાંધામાં બળતરા ઘટાડે છે અને સોજો ઘટાડે છે. આ દૂધનું સેવન કરવાથી હાડકા મજબૂત બને છે.


અનિંદ્વામાં કારગર
જો તમને રાત્રે ઊંઘ ન આવતી હોય તો દૂધમાં ઘી નાખીને તેનું સેવન કરો. સૂતા પહેલા એક કપ ગરમ દૂધમાં ઘી ભેળવીને પીવાથી મગજના જ્ઞાનતંતુઓ શાંત રહે છે અને તમે ખૂબ જ હળવાશ અનુભવો છો. ઘી તણાવ ઓછો કરે છે અને મૂડ સારો રાખે છે.



પાચનમાં સુધાર
દૂધમાં ઘી ભેળવીને પીવાથી શરીરની અંદર એન્ઝાઇમ બહાર આવે છે, જેનાથી પાચનક્રિયા સુધરે છે. આ ઉત્સેચકો પાચનક્રિયાને યોગ્ય રાખે છે અને પેટની સમસ્યાઓથી પણ છુટકારો અપાવે છે.


મેટાબોલિઝમ બૂસ્ટ કરે છે
એક ગ્લાસ દૂધમાં ઘી પીવાથી મેટાબોલિઝમ વધે છે અને આપને  ભૂખ ઓછી લાગે છે અને આપનું  વજન નિયંત્રણમાં રહે છે.


સ્કિન ઇશ્ચરાઇઝ કરે છે
દૂધ સાથે ઘીનું સેવન કરવાથી ત્વચાને ઘણા ફાયદા થાય છે. ઘી અને દૂધ કુદરતી મોઇશ્ચરાઇઝર છે. જે ત્વચાને પોષણ આપે છે અને મોઇશ્ચરાઇ કરે છે. રોજ દૂધમાં ઘી ભેળવીને પીવાથી સ્કિન પર  વૃદ્ધત્વની અસર ઓછી થાય છે અને સ્કિનની ડ્રાયનેસ દૂર થાય છે.