Exchange Rules of Damaged Currency: લોકોની સુવિધા માટે તમામ બેંકોએ અલગ-અલગ જગ્યાએ એટીએમ મશીન લગાવ્યા છે. જેનાથી લોકોનું કામ ખૂબ જ સરળ બને છે. જ્યારે પણ રોકડની જરૂર હોય ત્યારે તમે કોઈપણ એટીએમમાંથી રોકડ ઉપાડી શકો છો. પરંતુ, ઘણી વખત એટીએમમાંથી ક્ષતિગ્રસ્ત નોટો પણ આવે છે, જેના કારણે તેને બદલવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જો તમને પણ ફાટેલી નોટો બદલવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે, તો અમે તમને આરબીઆઈ (રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા)ના કેટલાક નિયમો જણાવવા જઈ રહ્યા છીએ જે ફાટેલી નોટ બદલવા માટે બનાવવામાં આવ્યા છે.


જો બેંક ફાટેલી નોટ બદલવાનો ઇનકાર કરે તો તમે તેની ફરિયાદ કરી શકો છો. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ગ્રાહકોની મુશ્કેલી દૂર કરવા માટે આ મામલે કેટલાક નિયમો બનાવ્યા છે. તો ચાલો તમને ફાટેલી નોટો બદલવા વિશે RBI ના નિયમો જણાવીએ (RBI ના કરન્સી એક્સચેન્જ નિયમો)-


આરબીઆઈના નિયમો શું છે?


આરબીઆઈએ ફાટેલી નોટોને બદલવા અંગે સ્પષ્ટપણે માર્ગદર્શિકા (આરબીઆઈ ગાઇડલાઇન) બહાર પાડી છે. આ નિયમ અનુસાર, સરકારી અથવા ખાનગી બેંકો જૂની અને ફાટેલી નોટો એક્સચેન્જ કરવામાં ના પાડી શકે નહી. જો બેંક નોટ બદલવાનો ઇનકાર કરે તો બેંક પર 10 હજાર સુધીનો દંડ થઈ શકે છે. નોટ બદલવા માટે તમારે તે બેંકમાં જવું પડશે જેના ATMમાંથી ફાટેલી નોટ બહાર આવી છે.


આ માટે બેંકને અરજી લખીને પૈસા ઉપાડવાની તારીખ જણાવો. આ સાથે તમે બેંકના ATMમાંથી ઉપાડેલી સ્લિપ પણ બતાવી શકો છો. જો કોઈ સ્લિપ ન હોય તો તમારે ફોનનો મેસેજ પણ બતાવવો પડશે. આ પછી તમારા પૈસા તરત જ એક્સચેન્જ થઈ જશે.


આ પણ વાંચોઃ Amazon Republic Day 2022 Sale: માત્ર 1 રૂપિયામાં પ્રી બુક કરો પોતાની પસંદગીનું ગેજેટ, જાણો અમેઝોન રિપબ્લિક ડે સેલની આ સ્કીમ