કેલ્શિયમ એ શરીરના સૌથી મહત્વપૂર્ણ મિનરલ્સમાંથી એક છે. કેલ્શિયમ આપણા હાડકાં અને સાંધાઓને મજબૂત અને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. દાંતની સાથે તે રક્તકણોને મજબૂત બનાવવામાં પણ મદદ કરે છે. હકીકતમાં શરીરનું મોટાભાગનું કેલ્શિયમ હાડકામાં સંગ્રહિત થાય છે, પરંતુ કેલ્શિયમ તમારા લોહીમાં પણ જરૂરી છે. આવી સ્થિતિમાં જો શરીરમાં તેની ઉણપ હોય તો લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. વધતી જતી ઉંમર સાથે હાડકાં નબળાં અને પાતળાં થઈ જાય છે. સામાન્ય ઠોકર ખાવાથી પણ તમને ફ્રેક્ચર થાય છે. જાણો કેલ્શિયમની ઉણપને કારણે શરીરમાં કઈ કઈ સમસ્યાઓ થાય છે અને તેની ઉણપને પૂરી કરવા માટે કઈ વસ્તુઓને આહારમાં સામેલ કરવી જોઈએ?



કેલ્શિયમની ઉણપને કારણે આ સમસ્યાઓ થાય છે


કેલ્શિયમની ઉણપને કારણે હાડકાં નરમ અને લચીલા બની જાય છે, જેના કારણે હાથ-પગ સરળતાથી વળે છે અને ફ્રેક્ચરની શક્યતા વધી જાય છે. કેલ્શિયમની ઉણપ પુરુષો કરતાં સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે, તેથી તમને માસિક સ્રાવની સમસ્યા થઈ શકે છે. ઉણપને કારણે પીરિયડ્સ ઓછા આવવા લાગે છે. ઉપરાંત, કેલ્શિયમની ઉણપથી સ્નાયુઓમાં તીવ્ર દુખાવો, સોજો અને ખેંચાણ થઈ શકે છે. જ્યારે શરીરમાં કેલ્શિયમની ખૂબ ઉણપ હોય છે, ત્યારે હાથ-પગ સુન્ન થઈ જાય છે અને કળતર થાય છે. કેલ્શિયમની ઉણપને કારણે નખ પણ તૂટવા લાગે છે. દાંત પણ નબળા પડી જાય છે, પેઢામાંથી લોહી નીકળવા લાગે છે અને વાળ પણ ખરવા લાગે છે.


કેલ્શિયમની ઉણપને દૂર કરવા માટે તમારા આહારમાં આ વસ્તુઓનો સમાવેશ કરો


શરીરમાં કેલ્શિયમની ઉણપના કિસ્સામાં, તમારે તમારા આહારમાં એવી વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ જેમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય. કેલ્શિયમની ઉણપ માટે લીલા પાંદડાવાળા શાકભાજી, સંતરા, પનીર, અંજીર, બદામ, ડેરી ઉત્પાદનો, સૂકા ફળો, પાલક, કોબીજ, દૂધ, દહીં, કઠોળ, છાશ વગેરેનું સેવન કરવું જોઈએ. જો કે, વિટામિન ડીની ઉણપને દૂર કરવામાં સૂર્યપ્રકાશ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ સિવાય લીલા પાંદડાવાળા શાકભાજી, અખરોટ અને બીજનું સેવન કરો. 


ગર્ભવતી મહિલાઓ અને સ્તનપાન કરાવતી મહિલાઓને કેલ્શિયમની વધુ જરૂર રહે છે. કિશોર અને વૃદ્ધ વ્યક્તિઓમાં કેલ્શિયમની ઊણપ જોવા મળે છે. સ્નાયુઓના કાર્ય અને ઊર્જા ઉત્પાદનમાં કેલ્શિયમ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કેલ્શિયમની ઊણપને કારણે થાક અને નબળાઈ વર્તાય છે તથા સ્ટેમિનામાં ઘટાડો થઈ શકે છે.  વારંવાર સ્નાયુ ખેંચાવાની સમસ્યા થાય તો તે માટે કેલ્શિયમની ઊણપ જવાબદાર છે. મોટે ભાગે પગ અને હાથમાં સ્નાયુઓ ખેંચાય છે, જેના કારણે તીવ્ર દુખાવો થાય છે.  


Heath tips : શું ડાયાબિટીસના દર્દીઓ સુગરને બદલે મધનું સેવન કરી શકે? જાણો શું કહે છે એક્સ્પર્ટ