Health:શું તમે દિવસભર થાક અને નબળાઈ અનુભવો છો? શું તમે ઝડપથી બીમાર થાઓ છો? ચહેરો નિસ્તેજ થવા લાગ્યો છે અને થોડું કામ કર્યા પછી, તમને ચક્કર આવવા લાગે છે, પછી તમારા શરીરમાં આયર્નની ઉણપ થઈ શકે છે. આયર્નની ઉણપને કારણે એનિમિયા, ત્વચા પીળી પડવી, ચક્કર આવવા, ગભરાટ, થાક, કામ કરવાની ક્ષમતામાં ઘટાડો જેવી સમસ્યાઓ થવા લાગે છે.  થોડુ કામ કરીને પણ શ્વાસ ચઢે ચછે. સ્ત્રીઓ અને બાળકોમાં આયર્નની ઉણપ વધુ જોવા મળે છે. સગર્ભા સ્ત્રીઓના સ્વાસ્થ્ય અને બાળકના વિકાસ માટે પણ આયર્ન ખૂબ જ મહત્વપૂર્ણ છે.


જો આપ  ઈચ્છો તો આયર્નની ઉણપને ભોજન દ્વારા પણ પૂરી કરી શકાય છે. તમારા આહારમાં લીલા શાકભાજી અને આયર્ન યુક્ત ખોરાકનું પ્રમાણ વધારવું. તેનાથી શરીરને પ્રાકૃતિક રીતે આયર્ન મળશે અને તમારી બીમારીઓ દૂર થઈ જશે. શરીરને સ્વસ્થ રાખવા માટે, આયર્ન એક એવું ખનિજ છે જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને હિમોગ્લોબિન વધારવામાં મદદ કરે છે. તમારે આયર્નથી ભરપૂર આ ખાદ્યપદાર્થોને આહારનો ભાગ બનાવવા જ જોઈએ.


પાલક- જો આયર્નની ઉણપ હોય તો ડોક્ટરો પાલક ખાવાનું કહે છે. પાલકમાં ઘણું આયર્ન હોય છે. આના કારણે હિમોગ્લોબિન વધે છે અને શરીરને અન્ય જરૂરી પોષક તત્વો પણ મળે છે. પાલકમાં કેલ્શિયમ, સોડિયમ, ખનિજ ક્ષાર, ક્લોરિન, ફોસ્ફરસ અને પ્રોટીન જેવા તત્વો હોય છે.


બીટ - બીટરૂટ પણ આયર્નનો સારો સ્ત્રોત છે. દરરોજ સલાડમાં બીટરૂટ ખાવાથી આયર્નની ઉણપને દૂર કરી શકાય છે. બીટરૂટ ખાવાથી એનિમિયા દૂર થાય છે અને હિમોગ્લોબિન વધે છે.


દાડમ- આયર્નથી ભરપૂર દાડમ પણ એક સારો સ્ત્રોત છે. દાડમ ખાવાથી લોહીની ઉણપ પૂરી થાય છે. તમારે દરરોજ એક દાડમ ખાવું જોઈએ. આ તમારા શરીરમાં આયર્નની ઉણપને પૂર્ણ કરશે. તમે ઈચ્છો તો દાડમનો રસ પણ પી શકો છો. દાડમ ખાવાથી એનિમિયા દૂર થશે.


ઈંડા- ઈંડામાં પ્રોટીન, વિટામીન, મિનરલ્સ, આયર્ન અને કેલ્શિયમ મળી આવે છે. આ સિવાય ઈંડામાં વિટામિન ડી પણ હોય છે. ઈંડામાં પણ ભરપૂર માત્રામાં આયર્ન હોય છે.


જામફળ- તમે આયર્ન અને વિટામિન સીની ઉણપ માટે પણ જામફળને ડાયટમાં સામેલ કરી શકો છો. જામફળ ખાવાથી શરીરમાં આયર્નની ઉણપ પૂરી થાય છે.