Women Health Tips: ભારતીય ખજાનામex  આવી ઘણી ઔષધિઓ છે, જે સ્વાસ્થ્ય માટે રામબાણ ઇલાજ  છે. તેમાંથી એક છે અશ્વગંધા, જેનાથી  આપણા શરીરને અપાર લાભ મળે છે. અશ્વગંધાનું સેવન, ખાસ કરીને સ્ત્રીઓ માટે, અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે, તે તેનાથી મૂડ સારો રહે છે અને  તે શરીરને વધુ આરામ આપવામાં કારગર  છે.


લગભગ દરેક બીજી સ્ત્રીને સફેદ સ્રાવ એટલે કે વ્હાઇટ ડિસ્ચાર્જની સમસ્યાઓ થાય છે.  જેના કારણે આગળ જતા અનેક ગંભીર બીમારીઓ થઈ શકે છે. આવી સ્થિતિમાં અશ્વગંધા તેમના માટે રામબાણ ઉપાય છે, કારણ કે અશ્વગંધાનો ઉપયોગ કરીને વ્હાઇટ ડિસ્ચાર્જની  સમસ્યાને ઓછી કરી શકાય છે. આ સાથે તે યુરિન ઈન્ફેક્શન કે યોનિમાર્ગના ઈન્ફેક્શનથી પણ બચાવે છે.


ઘણીવાર મહિલાઓ ઘરના ટેન્શન અને કામકાજમાં પોતાના સ્વાસ્થ્ય તરફ  ધ્યાન નથી આપી શકતી, જેના કારણે તેમની  રોગપ્રતિકારક શક્તિ પણ ખૂબ જ  નબળી પડી જાય છે. આવી સ્થિતિમાં અશ્વગંધાનું સેવન કરવાથી તેમની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. ઉપરાંત, તે ઘણા પ્રકારના ચેપ રોગથી પણ બચી શકે છે.


અશ્વગંધાનો ઉપયોગ રક્ત શુદ્ધિકરણ તરીકે પણ કરી શકાય છે. તે લાલ અને સફેદ રક્તકણોને વધારવામાં મદદ કરે છે. એટલું જ નહીં, બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં પણ તે ખૂબ જ ફાયદાકારક છે.


અશ્વગંધા એડેપ્ટોજેન્સની શ્રેણીમાં આવે છે, તે એક જડીબુટ્ટી છે. જે આપણને શારીરિક અને માનસિક રીતે તણાવનો સામનો કરવામાં મદદ કરે છે. તે મગજના ભાગોને શાંત કરે છે જે કોર્ટિસોલ - તણાવ હોર્મોનને મુક્ત કરે છે, તેથી જે મહિલાઓ તણાવપૂર્ણ જીવન જીવે છે તેઓએ અશ્વગંધાનું સેવન કરવું જોઈએ, તે સ્ટ્રેસ રિલિફ માટે કારગર છે.