Hair Care Tips : હાલમાં સ્ટ્રેટ વાળનો જોરદાર ક્રેઝ યુવતીઓ અને મહિલાઓમાં જોવા મળી રહ્યો છે. સૌ કોઈ ઈચ્છે છે કે તેના હેર સ્ટ્રેટ હોય તેથી યુવતીઓ સ્ટ્રેટનિંગ, સ્મૂથનિંગ તરફ વળી છે. અને તેમાય હવે નવું આવ્યું છે કેરાટીન ટ્રીટમેન્ટ. જયારે પણ તમે તમારા વાંકડિયા વાળને સરખા કરાવો છો ત્યારે બ્યુટીશન તમને તમારા વાળ પર કેરાટિન ટ્રીટમેન્ટ કરાવવાની સલાહ આપે છે. તેનાથી તમારા વાળ સુંદર અને સીધા થઇ જાય છે. તે જોવામાં પણ સુંદર લાગે છે. ગૂંચવાયેલા વાળને સરખા કરાવવાની સૌથી પોપ્યુલર ટ્રીટમેન્ટમાંથી એક છે કેરાટીન ટ્રીટમેન્ટ. પરંતુ તેનાથી ઘણા નુકસાન થાય છે. તો આવો આજે આપણે જાણીએ કેરાટીન ટ્રીટમેન્ટના ફાયદા અને નુક્શાન વિશે. કેરાટિન પ્રોટીન ટ્રીટમેન્ટ કરાવ્યા બાદ તમારે સ્પેશ્યલ શેમ્પુ, કન્ડિશનર અને હેર સ્ટાઇલિંગ પ્રોડક્ટ ઉપયોગ કરવી પડે છે. જે ખાસ કરીને તમારા વાળના હિસાબથી બનાવવામાં આવે છે.


કેરાટિનના નુકસાન



  • તમારા વાળ જલદી ઓઇલી અને ગ્રીજી થઇ જાય છે.

  • કેરાટિન કરાવ્યા બાદ થોડાક દિવસો સુધી તમે વાળને ધોઇ શકશો નહીં.

  • આ ટ્રીટમેન્ટ કરાવવામાં ખૂબ પૈસા ખર્ચ થાય છે પરંતુ તેની અસર આશરે 3-5 મહિના રહે છે.

  • કેરાટિન ટ્રીટમેન્ટમાં સામાન્ય રીતે એક એવા કેમિકલનો ઉપયોગ થાય છે જેના કારણથી તમને ચક્કર આવી શકે છે. ત્વચા અને આંખોમાં ખંજવાળ તેમજ બળતરાનો અનુભવ થઇ શકે છે.


કેરાટિનના ફાયદા વિશે જાણી લો…



  • વાળ ગૂંચવાતા નથી અને વાળને મેનેજ કરવા સહેલા હોય છે.

  • વાળ શાઇની અને ગ્લોસી દેખાવવા લાગે છે.

  • વાળ સ્ટ્રેટ થઇ જાય છે. જેને અલગ-અલગ રીતે સ્ટાઇલ કરી શકાય છે.

  • તડકાની હાનિકારક કિરણો સહિત વાતાવરણમાં રહેલા પોલ્યુશનથી પણ વાળ બચી જાય છે.

  • વાળ ડેમેજ ઓછા થાય છે તો તેને તૂટવા તેમજ ખરવાની સમસ્યા પણ ઓછી થઇ જાય છે.


હેર સ્પા જરૂરી


કેરાટિન સારવાર પછી સમય સમય પર હેર સ્પા (Hair spa) જરૂરી છે. તેના કારણે વાળની ​​ગુણવત્તા બગડતી નથી. આ સારવાર પછી વાળને ઓછા ફોલ્ડ કરો.


કન્ડિશનરનો ઉપયોગ કરશો નહીં


કેરાટિન ટ્રીટમેન્ટ પછી વાળ વધુ તૈલી અને ચીકણા બને છે, તેથી વાળ ધોયા પછી કન્ડિશનરનો ઉપયોગ ન કરવો જોઇએ. કેરાટિન કરાવતા પહેલા, તમારા હેરસ્ટાઇલિસ્ટ સાથે આ વિશે વાત કરો. કેરાટિન મેળવ્યા બાદ આ ટિપ્સનું પાલન કરવું જરૂરી છે, અન્યથા વાળને સરળતાથી નુકસાન થઈ શકે છે.