Cervical Cancer Vaccine : સ્તન કેન્સર પછી, દેશમાં મહિલાઓમાં સૌથી સામાન્ય કેન્સર સર્વાઇકલ કેન્સર છે. આંકડા મુજબ, દર વર્ષે સર્વાઇકલ કેન્સરના 1.25 લાખથી વધુ દર્દીઓ આવે છે. તેમાંથી 77 હજારથી વધુના મોત થયા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સર્વાઇકલ કેન્સરના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. આનાથી મૃત્યુઆંક 77,000 થી ઉપર છે.


છેલ્લા કેટલાક વર્ષોમાં સર્વાઇકલ કેન્સરના દર્દીઓમાં વધારો થયો છે. તેનું સૌથી મોટું કારણ માહિતીનો અભાવ છે. મોટાભાગની મહિલાઓમાં આ કેન્સરને લઈને મૂંઝવણમાં હોય છે. તેઓ આ રોગ અને રસી વિશે માત્ર આંશિક જ્ઞાન ધરાવે છે. આવી સ્થિતિમાં આવો જાણીએ આ જીવલેણ રોગ સાથે જોડાયેલી કેટલીક માન્યતાઓ અને તથ્યો.



  1. મને કેન્સર નથી


તથ્યો- જાતીય સંભોગ દરમિયાન દુખાવો અથવા પેલ્વિક પીડાની સમસ્યા હોઈ શકે છે, પરંતુ આવું ત્યારે થાય છે જ્યારે કેન્સર એડવાન્સ સ્ટેજ પર પહોંચે છે. કેન્સરને ઓળખવા માટે વ્યક્તિએ પીડાના લક્ષણોની રાહ જોવી જોઈએ નહીં.



  1. સર્વાઇકલ કેન્સરના લક્ષણોને ઓળખવામાં ભૂલ


તથ્યો- ડોક્ટરના મતે, સર્વાઇકલ કેન્સરના પ્રારંભિક લક્ષણોને ઓળખવા  ખૂબ જ જરૂરી છે. તેના લક્ષણોમાં પીરિયડ્સ બાદ અથવા પહેલા પણ બ્લિડિંગ થવું. ઉપરાંત  મેનોપોઝ પછી યોનિમાંથી રક્તસ્ત્રાવ, સેક્સ પછી રક્તસ્ત્રાવ, સેક્સ દરમિયાન દુખાવો અને યોનિમાર્ગના સ્ત્રાવના રંગ અથવા ગંધમાં ફેરફારનો સમાવેશ થાય છે.



  1. જો તમને સર્વાઈકલ કેન્સરની રસી મળી ગઈ હોય, તો પરીક્ષણની કોઈ જરૂર નથી.


હકીકતો- મોટાભાગની રસીઓ બે પ્રકારની હોય છે. ' હાઇ રિસ્ક ' HPV  સબટાઇપ્સ  16 અને 18 સામે રક્ષણ આપે છે, પરંતુ અન્ય પેટા પ્રકારો પણ કેન્સરનું કારણ બની શકે છે, તેથી પરીક્ષણ કરવું જોઈએ.


 



  1. HPV ટેસ્ટ પોઝિટિવ આવવનો અર્થ છે. સર્વાઇકલ કેન્સર થયું છે.


હકીકત- એચપીવી ટેસ્ટ પોઝિટિવ આવ્યા પછી, વધુ પરીક્ષણો જરૂરી બને છે, જેથી કેન્સર પહેલાની ગાંઠો ઓળખી શકાય. તેથી, HPV ટેસ્ટ દર એકથી બે વર્ષે કરાવવો જોઈએ. 95% થી વધુ સ્ત્રીઓમાં, ઇમ્યુન સિસ્ટમ હાઇ રિસ્કવાળા  HPV ઇન્ફેકેસને જાતે  જ ખતમ કરી દે છે. પરંતુ જો હાઇ રિસ્ક  ગઠ્ઠો ન દૂર થાય તો  કોલપોસ્કોપી સાધનની મદદથી સર્વિક્સની તપાસ કરવામાં આવે છે.



  1. સમયસર ઓળખ જરૂરી છે


હકીકત- જો સર્વાઇકલ કેન્સરની સમયસર ઓળખ કરવામાં આવે, તો તે તેના પ્રથમ તબક્કામાં 100 માંથી 95 થી વધુ મહિલાઓમાં સંપૂર્ણ રીતે મટાડી શકાય છેય  જ્યારે તે ત્રીજા તબક્કામાં પહોંચે છે, ત્યારે 100 માંથી 50 સ્ત્રીઓ સાજી થઈ જાય છે, પરંતુ જો કેન્સર અન્ય અવયવોમાં ફેલાય છે, તો તેની સારવાર શક્ય બનવાની આશા ઓછી હોય છે.