Ovarian Cancer Symptoms: અંડાશયનું કેન્સર શરીરમાં ત્યારે વિકસે છે જ્યારે અંડાશય અને ફેલોપિયન ટ્યુબની આસપાસના અસામાન્ય કોષો ધીમે ધીમે વધવા લાગે છે અને ફેલાય છે.


માર્ચ મહિનો અંડાશયના કેન્સર જાગૃતિ માટેનું એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તેનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે વધુને વધુ મહિલાઓ અંડાશયના કેન્સરના પ્રારંભિક લક્ષણોને ઓળખી શકે અને તેની સમયસર સારવાર કરાવવા માટે જાગૃત બને. અંડાશયનું કેન્સર સ્ત્રીઓમાં થતું ખતરનાક કેન્સર છે. આ રોગ શરીરમાં ત્યારે વિકસે છે જ્યારે અંડાશય અને ફેલોપિયન ટ્યુબની આસપાસ અસામાન્ય કોષો વધવા લાગે છે અને ધીમે ધીમે ફેલાય છે. આ પ્રક્રિયા કેન્સરયુક્ત ગાંઠ બનાવે છે, જો તે ખતરનાક બની જાય તો શરીરના અન્ય ભાગોમાં ફેલાઈ શકે છે.


ઈન્ડિપેન્ડન્ટના રિપોર્ટ અનુસાર, અંડાશયના કેન્સર એક્શન મુજબ, વાર્ષિક 2,95,000 મહિલાઓને અંડાશયના કેન્સરની સારવાર કરવામાં આવે છે. મહિલાઓમાં થતું આ છઠ્ઠું કેન્સર છે. 90 ટકા લોકો તેના ચાર લક્ષણો વિશે જાણતા નથી, જે જાણવું ખૂબ જ જરૂરી છે.


1.સતત પેટમાં દુખાવો



  1. સતત સોજો રહેવો

  2. ખાવામાં મુશ્કેલી અથવા ભૂખ ન લાગવી

  3. અતિશય પેશાબ થવો

  4. વારંવાર ઓડકાર આવવો


6.કબજિયાત અથવા  ઝાડા



  1. પીઠનો દુખાવો

  2. થાક લાગે છે

  3. અચાનક વજન ઘટવું

  4. મેનોપોઝ પછી પણ રક્તસ્ત્રાવ


જો કે, ઘણી વખત આ લક્ષણો સામાન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓમાં પણ જોવા મળે છે. જો કે, જો તમને આ લક્ષણો વધુ લાંબો સમય સુધી અનુભવાય તો  પછી અંડાશયનું કેન્સર હોઈ શકે છે. કેટલીકવાર નાની-નાની શારીરિક સમસ્યાઓ રોગની શરૂઆતનો સંદેશ આપે છે, તેથી આ નાના સંકેતોને ક્યારેય અવગણવા જોઈએ નહીં.


રોગ કેવી રીતે પારખશો


આ રોગને શોધવા માટે, પ્રથમ મહિલાનું રક્ત પરીક્ષણ કરવામાં આવે છે, ત્યારબાદ અલ્ટ્રાસાઉન્ડ સ્કેનને પ્રાધાન્ય આપવામાં આવે છે. ઉપરાંત, સીટી સ્કેન, સોય બાયોપ્સી લેપ્રોસ્કોપી અને લેપ્રોટોમી (ટિશ્યુ દૂર કરવાની સર્જરી) દ્વારા આ રોગ શોધી શકાય છે.


સારવાર કેવી રીતે કરશો


ગાંઠના કદ, તે ક્યાં કોઇ ફેરફાર થાય છે ખરા, તે વધુ ફેલાઇ રહ્યું છે કે કેમ  રોગની સ્થિતિ અને ગંભીરતાના  આધારે, ત્યાં શસ્ત્રક્રિયા, કીમોથેરાપી, રેડિયોથેરાપી,  અથવા હોર્મોન અપાઇ છે.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.