Mummy Makeover Surgery:મમ્મી મેકઓવર સર્જરીની મદદથી  પ્રેગ્નન્સી પછી શરીરમાં થતા ફેરફારોને ઠીક કરવામાં મદદ મળે છે. એક રીતે આ કોસ્મેટિક પ્લાસ્ટિક સર્જરી જેવું છે, જેના દ્વારા શરીરને પહેલા જેવું બનાવી શકાય છે.


માતા બનવું એ આ દુનિયાની સૌથી સુંદર અનુભૂતિ છે, પરંતુ આ સફર એટલી સરળ નથી.ગર્ભાવસ્થા દરમિયાન ઘણી સમસ્યાઓ આવે છે. ગર્ભાવસ્થાની શરૂઆતથી લઈને ડિલિવરી સુધી શરીરમાં ઘણા ફેરફારો થાય છે. હોર્મોનલ ફેરફારોને કારણે ગંભીર સમસ્યાઓ થાય છે. ગર્ભાવસ્થા પછી સ્ત્રીનું શરીર તણાવમાંથી પસાર થાય છે. આ સ્થિતિમાં વેઇટ વધવાના સાથે અનેક ચેન્જીસ આવે છે. જો કે મહિલાઓ  ડાયટ અને એક્સરસાઇઝ દ્વારા ફરી પહેલા જેવું ફિગર લાવવાનો પ્રયાસ કરે છે. જો કે એ કેટલીક વખત શક્ય બનતું નથી આવી સ્થિતિમાં મહિલાઓ મમ્મી મેકઓવરનો આશરો લે છે.


મમ્મી મેકઓવર સર્જરી શું છે?


મમ્મી મેકઓવર સર્જરીની મદદથી  પ્રેગ્નન્સી પછી શરીરમાં થતા ફેરફારોને ઠીક કરવામાં મદદ મળે છે. એક રીતે આ કોસ્મેટિક પ્લાસ્ટિક સર્જરી જેવું છે, જેના દ્વારા શરીરને પહેલા જેવું બનાવી શકાય છે. મમ્મીની મેકઓવર સર્જરીની મદદથી પેટ, સ્તન અને યોનિમાર્ગની સર્જરી કરવામાં આવે છે, ગર્ભાવસ્થા દરમિયાન પેટની માંસપેશીઓ વધે છે, ડિલિવરી પછી આ જગ્યાના ટિશ્યૂઝ ઢીલા પડી જાય છે, તેમાંથી છુટકારો મેળવવા માટે તે ખૂબ જ મદદરૂપ માનવામાં આવે છે. સ્તનપાનથી બ્રેસ્ટ સાઈઝ પર પણ અસર થાય છે. અને આ તબક્કા પછી સ્નાયુઓ ઢીલા થઈ જાય છે, આ સર્જરી તેને આકારમાં લાવવા માટે ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે. એકંદરે, કોઈપણ વયની આ મહિલાઓ તેમના શરીરને આ સર્જરીથી સુંદર બનાવી શકે છે.


મોમ મેકઓવરની હેઠળ થાય છે આ સર્જરી



  • બ્રેસ્ટ લિફ્ટ

  • બ્રેસ્ટ ઓગ્મેટેશન

  • બ્રેસ્ટ રિડકશન

  • ટમી ટક

  • લિપોસક્શન

  • લેબિયાપ્લાસ્ટી


મમ્મી મેકઓવર સર્જરીના ફાયદા


મમ્મી મેકઓવર સર્જરીમાં ડોકટરો વધારાની ચરબી અને ત્વચાને દૂર કરે છે. સર્જરી  દ્વારા બોડી કોર્ટરિંગ કરવામાં આવશે. આ સર્જરીની મદદથી પેટ અને ત્વચા પર જમા વધારાની ચરબીને દૂર કરવાનું કામ કરવામાં આવે છે, તે ત્વચાને ચુસ્ત બનાવે છે.ડોક્ટરના જણાવ્યા અનુસાર, આ સર્જરી ગર્ભાવસ્થાના 6 મહિના પછી અથવા 1 વર્ષ પછી કરાવવાની સલાહ આપવામાં આવે છે. બ્રેસ્ટ ફીડિંગ બંધ કરવાવ્યા બાદ સર્જરી કરી શકો છો. .તે ઉપરાંત ડોક્ટરના જણાવ્યા મુજબ જે મહિલાઓ ધૂમ્રપાન કરે છે તેઓ ટ્રીટમેન્ટ નથી કરાવી શકતી.


Disclaimer: હીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.