WOMEN:ઘણા અભ્યાસો અનુસાર, ગર્ભાવસ્થા દરમિયાન યોગ કરવું માતા અને તેના બાળક માટે ફાયદાકારક છે. પરંતુ આ સ્થિતિમાં યોગ કરતી વખતે ગર્ભવતી મહિલાએ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.યોગને મનુષ્યની માનસિક, ભાવનાત્મક અને આધ્યાત્મિક સુખાકારીના સ્વરૂપ તરીકે જોવામાં આવે છે. નિષ્ણાતોના મતે, ગર્ભાવસ્થા દરમિયાન યોગ કરવાથી મહિલાઓમાં લવચીકતા, માનસિક શાંતિમાં મદદ કરે છે.


જો કે ગર્ભવતી મહિલાઓએ ખાલી પેટે યોગ ન કરવા જોઈએ. તમે હળવો નાસ્તો કર્યાં બાદ  યોગ કરી શકો છો.યોગ કરતી વખતે એવા કપડા પહેરો કે પેટને સપોર્ટ રહે અને આપ પણ કમ્ફર્ટ ફીલ કરો


જો પ્રેગ્નન્સી દરમિયાન ગભરામણ અને વોમિંટિગ ફિલિંગ વધુ થતી હોય તો આપને રૂમમાં નહિ પરંતુ ખુલ્લી જગ્યાએ યોગ કરવો જોઇએ


પ્રેગ્ન્સી દરમિયાન મહિલા જટીલ યોગાસનને ટાળવા જોઇએ.એક અભ્યાસ અનુસાર, પ્રથમ વખત યોગ કરતી ગર્ભવતી મહિલાએ ગર્ભાવસ્થાના પ્રથમ ત્રિમાસિકમાં યોગ ન કરવો જોઈએ. આ કારણે, કસુવાવડનું સૌથી વધુ જોખમ રહેલું છે. તમે ગર્ભાવસ્થાના 14મા અઠવાડિયાની આસપાસ યોગ કરવાનું શરૂ કરી શકો છો.


જો કે,  ગર્ભવસ્થામાં યોગ કરતા પહેલા એકવાર આપને ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે અને યોગ નિષ્ણાતના માર્ગદર્શન હેઠળ જ યોગ કરવો જોઇએ.


Women Health: મહિલાના શરીરમાં થતાં આ 5 ફેરફાર, ભયંકર બીમારીના છે લક્ષણો, ન કરો નજરઅંદાજ

These 5 changes in a woman  body are symptoms of a terrible disease, do not ignore it

Women Health, Health Tips, Health, 

 

Women Health: શરીરમાં આ લક્ષણો અનુભાય તો ન કરો નંજર અંદાજ 

 

સ્ત્રીઓના શરીરમાં ઘણા ફેરફારો થાય છે, જે કોઈ ને કોઈ સમસ્યાના સંકેત હોઈ શકે છે. મોટાભાગની મહિલાઓ આ સંકેતોને નજરઅંદાજ કરે છે, જે ભવિષ્યમાં મોટી સમસ્યા બની શકે છે.

 

સ્ત્રી ઘરની  ધરી સમાન બધી જ ક નાની-મોટી જવાબદારી ઉપાડી લેનારી મહિલાઓ ઘણીવાર પોતાના સ્વાસ્થ્યની અવગણના કરે છે. જેના કારણે અનેક પ્રકારની સમસ્યાઓ તેમને ઘેરી શકે છે. નિષ્ણાંતોના મતે મહિલાઓના શરીરમાં અનેક પ્રકારના બદલાવ આવે છે. જેમાંથી કેટલીક મોટી સમસ્યાઓ તરફ નિર્દેશ કરે છે. આ બાબતોને ક્યારેય અવગણવી જોઈએ નહીં. જો સમયસર આની ઓળખ કરવામાં આવે તો મોટી બીમારીઓથી બચી શકાય છે. ચાલો જાણીએ કે મહિલાઓએ કયા ફેરફારોને અવગણવા ન જોઈએ...

 

1. પીરિયડ યોગ્ય સમયે ન આવવું

ગાયનેકોલોજિસ્ટના મતે નિયમિત પીરિયડ્સ આવવાનો અર્થ એ છે કે સ્ત્રીનું શરીર ફિટ છે, પરંતુ જો પીરિયડ્સ અનિયમિત રીતે આવતા હોય તો સાવધાન રહેવું જોઈએ, કારણ કે તે કોઈ મોટી બીમારીનું કારણ બની શકે છે. અતિશય રક્તસ્રાવ અથવા લાંબા સમય સુધી પીરિયડ ચક્રને અવગણવું ટાળવું જોઈએ. આ થાઇરોઇડ, PCOD અથવા ફાઇબ્રોઇડ્સ જેવા હોર્મોનલ રોગોને કારણે હોઈ શકે છે. મહિલાઓએ શારીરિક સંબંધ બાંધતી વખતે અનુભવાતી પીડાને નજરઅંદાજ ન કરવી જોઈએ.

 

2. થાક અને નબળા

જો તમને થાક અને નબળાઈ લાગે છે, જે આરામ કર્યા પછી પણ દૂર થતી નથી, તો તે એનિમિયા, થાઈરોઈડ અથવા વિટામિન ડીની ઉણપ જેવી સમસ્યાઓનો સંકેત હોઈ શકે છે. આવી સ્થિતિમાં તરત જ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

3. વારંવાર પેટનું ફૂલવું

 

ઘણી સ્ત્રીઓને પીરિયડ્સ પહેલા પેટ ફૂલવાની સમસ્યા થઈ શકે છે. જો કે આ એક સામાન્ય સમસ્યા છે, પરંતુ જો પેટનું ફૂલવું વારંવાર થાય છે, તો તેને અવગણવાને બદલે, તમારે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. નિષ્ણાતો કહે છે કે આ અંડાશયના કેન્સર અને ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમને કારણે હોઈ શકે છે.

 

4. સ્તનના કદમાં ફેરફાર

જો સ્ત્રીના સ્તનમાં કોઈપણ પ્રકારનો ફેરફાર થઈ રહ્યો હોય. જેમ કે ગઠ્ઠો, દુખાવો અથવા આકારમાં ફેરફારની અવગણના ન કરવી જોઈએ. કારણ કે તેનાથી સ્તન કેન્સર જેવી સમસ્યા થઈ શકે છે.

 

5. વજનમાં ફેરફાર

જો કોઈ મહિલાનું વજન અચાનક વધી જાય કે ઘટે તો તે થાઈરોઈડ, પીસીઓએસ, કેન્સર કે અન્ય સમસ્યાઓની નિશાની હોઈ શકે છે. આવી સ્થિતિમાં ડોક્ટરની સલાહ લેવી જોઈએ અને ટેસ્ટ કરાવવો જોઈએ.


         


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો