✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

વિસનગર તોડફોડના કેસમાં હાર્દિક જેલમાં નહીં જાય, મળ્યા જામીન

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  25 Jul 2018 01:34 PM (IST)
1

મહેસાણાઃ પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલ તથા લાલજી પટેલ અને અંબાલાલ પટેલને આજે કોર્ટે વિસનગર તોડફોડ કેસમાં દોષિત ઠેરવ્યા છે અને બે-બે વર્ષની સજા ફટકારી છે. ત્યારે વિસનગર કોર્ટે હાલ હાર્દિક પટેલ, લાલજી પટેલ અને એ.કે. પટેલને જામીન આપી દેતાં તેમનો છૂટકારો થયો છે.

2

આ કેસમાં 14 પાટીદાર યુવકોને નિર્દોષ છોડી મૂક્યા છે. નિર્દોષ છોડાયેલા યુવકોમાં પટેલ હેંમતકુમાર રમણીકલાલ, પટેલ દિનેશકુમાર સોમાભાઈ, પટેલ રાજેન્દ્રકુમાર કાંતિલાલ, પટેલ કૃણાલકુમાર મનુભાઈ, પટેલ પાર્થ ભાણજીભાઈ, પટેલ પ્રશાંતકુમાર જીવણલાલ, પટેલ ગોવિંદભાઈ જોઇતારામ, પટેલ ગોવિંદભાઈ મગનલાલ, પટેલ પરેશકુમાર સેવંતીલાલનો સમાવેશ થાય છે.

3

હાર્દિક પટેલ, લાલજી પટેલ અને એ.કે. પટેલને શરતી જામીન આપવામાં આવી છે. હાઈકોર્ટમાં અપીલ કરવા માટે તેમને જામીન આપવામાં આવ્યા છે. હાલ આરોપીઓએ 50-50 હજારનો દંડ ભરી દીધો છે. એડિશનલ સેશન જજ વી.પી. અગ્રવાલે તેમના જામીન મંજૂર કર્યા છે. 15 હજાર સધ્ધર જામીન તેમજ 15 હજારના પર્સનલ બોન્ડ પર મુક્ત કરવામાં આવ્યા છે.

4

આ ઉપરાંત પટેલ જયંતિભાઈ લીલાચંદ, પટેલ ભરતભાઈ સોમાભાઈ, પટેલ સુરજકુમાર પ્રવીણભાઈ, પટેલ સંજયભાઈ ત્રિભોવનભાઈ અને પટેલ સંજયકુમાર લક્ષ્મણભાઈને નિર્દોષ છોડવામાં આવ્યા છે.

  • હોમ
  • મહેસાણા
  • વિસનગર તોડફોડના કેસમાં હાર્દિક જેલમાં નહીં જાય, મળ્યા જામીન
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.