મહેસાણાઃ કાર-રીક્ષા અકસ્માતમાં ચાર લોકોના ઘટના સ્થળે જ મોત, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 12 Feb 2019 08:43 PM (IST)
1
2
મળતી માહિતી અનુસાર, અકસ્માતમાં ભોગ બનનારા લોકો બહુચરાજી તાલુકાના દેલવાડા ગામના રાવળ સમાજના હોવાનું અનુમાન છે.
3
મહેસાણા: જીલ્લાના ઉદલપુર ગામ પાસે કાર અને રીક્ષા વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં ચાર લોકોના ઘટના સ્થળે જે મોત થયા હતા. જ્યારે એકની હાલત ગંભીર છે, જેને મહેસાણા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. અકસ્માત એટલો ગંભીર હતો કે રીક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો હતો.
4
અકસ્માતના કારણે ઉદલપુર હાઇવે પર ટ્રાફિક જામ થયો હતો. પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને ટ્રાફિક હળવો કરવાનું શરૂ કર્યું હતું.
5