મહેસાણામાં લગ્નના વરઘોડા બાબતે બે જૂથ વચ્ચે અથડામણ, વાહનોમાં તોડફોડ કરાઈ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
1
મહેસાણા: મહેસાણાના રાજપુર ખાતે લગ્નનાં વરઘોડા બાબતે બે જૂથ સામ સામે આવી ગયા છે. ઘટના સ્થળે સ્થિતિ ત્યાં સુધી વણસી ગઈ કે, 10 જેટલા ઘરોમાં તોડફોડ અને આગચંપી કરાઈ હતી. વાહનોના કાંચ પણ તોડી નાખ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ઘટના સ્થળની માહિતી પોલીસને કરાતા પોલીસ આવી પહોંચી હતી. પરંતુ ઉશ્કેરાયેલા લોકોએ પોલીસ પર પણ પથ્થરમારો કર્યો હતો. જેમાં એક પોલીસ કોંસ્ટેબલને ગંભર ઈજા પહોંચી હતી. જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી. સ્થિતિ કાબૂમાં લેવા પોલીસે ટીયરગેસના શેલ છોડવા પડ્યા હતા.
3
ઘટનાની જાણ થતા જ નંદાસણ પોલીસનો કાફલો ઘટનાસ્થળે ખડકી દેવામાં આવ્યો હતો. મહામહેનતે સ્થિતિ પર કાબૂ મેળવાયો હતો. હાલ સમગ્ર ગામ પોલીસ છાવણીમાં ફેરવી દેવાયું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -