લાલજી પટેલે ફરી પાટીદાર આંદોલન શરૂ કરવા આપી ચીમકી, ભાજપ સરકાર સામે મૂક્યા શું આક્ષેપો ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 04 Feb 2018 03:03 PM (IST)
1
લાલજીએ સરકારને પત્ર લખી કહ્યું હતું કે, સરકાર પાટીદારો સામે કેસ પાછા ખેચવાના વચનોનાંથી ફરી ગઇ છે. જો સરકાર આ વચનો પુરા નહી કરે તો તે ફરીથી આંદોલન કરશે.
2
મહેસાણાઃ સરદાર પટેલ ગ્રુના અધ્યક્ષ લાલજી પટેલે ફરીથી આંદોલન શરૂ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. લાલજી પટેલે ભાજપ સરકાર પર આરોપ લગાવ્યો હતો કે સરકારે પાટીદારોને આપેલા વચન પૂરા કર્યા નથી. લાલજી પટેલે કહ્યું હતું કે, સરકારે પાટીદાર આંદોલન દરમિયાન કરવામાં આવેલા તમામ કેસ પરત ખેંચવાની ખાતરી આપી હતી પરંતુ હજુ સુધી તમામ કેસ પાછા ખેંચવામાં આવ્યા નથી.
= 2">