મહેસાણાઃ પટેલ દંપતિના આપઘાત કેસમાં બે જમીન દલાલોની ધરપકડ
ઉલ્લેખનીય છે કે સુરતમા કામરેજ રોડ પર રહેતા સુરેશભાઇ પટેલે ધંધામાંથી કાઢેલી મૂડીમાંથી અંકલેશ્વરમાં11 વીઘા જમીન ખરીદી હતી. પરંતુ જમીન દલાલો દ્ધારા તેમની છેતરપિંડી કરવામાં આવી હતી અને રૂપિયા આપ્યા નહોતા. જમીન દલાલોથી છેતરાયેલા સુરેશભાઇએ 2 મહિનાની રઝળપાટ છતા ન્યાય ન મળતા મહેસાણામાં ભાઇના મકાનમાં પત્ની આત્મહત્યા કરી લીધી હતી.
મહેસાણાઃ જમીનમાં છેતરપિંડીથી હતાશ સુરતના પટેલ દંપતીએ મહેસાણામા કરેલા આપઘાત કેસમાં પોલીસે મુખ્ય સૂત્રધાર 2 જમીન દલાલોની સુરતથી ધરપકડ કરી હતી. દલાલોને મહેસાણા જજના બંગલે રજૂ કરી રીમાન્ડ મેળવવા કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે સુરતના પટેલ દંપતીએ મહેસાણામાં આપઘાત કરવાના કેસમાં આરોપીઓને ઝડપી લેવા પીએસઆઇ એ.વી.પાણમીયા અને તેમની ટીમે સુરતમાં ધામા નાખ્યા હતા.
આ કેસનો મુખ્ય સૂત્રધાર જયરામ માલજીભાઇ દેસાઇ, લાલભાઇ ભૂપતભાઇ કપાડાને પોલીસે ઝડપી પાડ્યા હતા. બે જમીન દલાલોની ધરપકડના પગલે ભૂમાફિયા મુકેશ,અંકિત,જીતુભાઇ,ધીરૂભાઇ ભયના માર્યા ભૂગર્ભમા જતા રહ્યા હતા.