Indian Army Agnipath Scheme: અગ્નિપથ યોજના હેઠળ તાલીમ લઈ રહેલા ઘણા યુવાનોએ અલગ-અલગ કારણો દર્શાવીને તાલીમ અધવચ્ચે જ છોડી દીધી છે.


 અગ્નિવીર ભારતીય સેનાની અગ્નિપથ યોજના હેઠળ જોયેલા જવાનોની પ્રથમ બેંચની તાલીમ પૂરી થઈ ગઈ છે અને બીજી બેચની તાલીમ શરૂ થઈ ગઈ છે. આવતા મહિને પ્રથમ બેચ ભારતીય સેનામાં જોડાશે. જોકે, તાલીમ દરમિયાન જ ઘણા યુવકો અધવચ્ચે જ ચાલ્યા ગયા છે. અલગ-અલગ કારણો દર્શાવીને સેનાને અલવિદા કહેનારા યુવકો સામે કાર્યવાહી થઈ શકે છે અને તેમની પાસેથી ટ્રેનિંગમાં ખર્ચવામાં આવેલી રકમ પણ વસૂલવામાં આવશે.


પ્રથમ બેચમાં 50થી જવાનોએ છોડી તાલીમ


હાલમાં સેનામાં ટ્રેનિંગને અધવચ્ચે છોડી દેવાનો કોઈ નિયમ નથી, પરંતુ હવે સરકાર તેને રોકવા માટે નવા નિયમો લાવવાનું વિચારી રહી છે. નવભારત ટાઈમ્સના એક અહેવાલ અનુસાર, જેઓ ટ્રેનિંગ અધવચ્ચે જ છોડી દે છે તેમની પાસેથી ટ્રેનિંગ પર થયેલો ખર્ચ વસૂલ કરવામાં આવશે. રિપોર્ટમાં એક અધિકારીને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે, પ્રથમ બેચમાં 50થી વધુ યુવાનોએ અધવચ્ચે જ ટ્રેનિંગ છોડી દીધી હતી અને બીજી બેચમાં પણ આવી જ સ્થિતિ છે. તેમનું કહેવું છે કે તાલીમનો ખર્ચ યુવાનો પાસેથી વસૂલવામાં આવશે, આ રીતે માત્ર એવા યુવાનોને જ તાલીમમાં સામેલ કરવામાં આવશે જેઓ સેનામાં જોડાવા માટે ગંભીર છે.


અલગ-અલગ કારણો આપીને સેનાને અલવિદા કહ્યું


અધિકારીએ એમ પણ જણાવ્યું કે યુવાનો દ્વારા ટ્રેનિંગ અધવચ્ચે જ છોડી દેવા માટે અલગ-અલગ કારણો આપવામાં આવ્યા છે. કેટલાકને 30 દિવસ કે તેથી વધુ સમય માટે તબીબી રજા પર હોવાના કારણે બહાર ફેંકી દેવામાં આવ્યા હતા. કેટલાકે સારી તક મળવાનું કારણ આપીને અધવચ્ચે જ તાલીમ છોડી દીધી. સૂત્રોએ જણાવ્યું કે સેનામાં એવો નિયમ છે કે જો કોઈ 30 દિવસથી વધુ ટ્રેનિંગમાંથી ગેરહાજર રહે છે તો તેને બહારનો રસ્તો દેખાડવામાં આવે છે.


1 જાન્યુઆરીએ, પ્રથમ બેચમાં 19 હજારથી વધુ અગ્નિવીરોનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેમને દેશભરના 40 વિવિધ કેન્દ્રો પર તાલીમ આપવામાં આવી હતી. અગ્નિવીર માટે છ મહિનાની તાલીમમાં મૂળભૂત અને અદ્યતન લશ્કરી કાર્યક્રમોનો સમાવેશ કરવામાં આવ્યો છે. છ મહિનાની તાલીમ પછી, અગ્નિવીરોને વિવિધ એકમોમાં પોસ્ટ કરવામાં આવશે અને 4 વર્ષ પછી, તેમાંથી 25 ટકાને કાયમી કરવામાં આવશે. જો કે સેના 50 ટકા અગ્નિવીરોને કાયમી કરવા માંગે છે, જેના માટે સેનાએ કેન્દ્ર સમક્ષ પોતાની માંગ મૂકી છે.