જરૂરિયાત મુજબ તમામ વ્યક્તિઓને હોમ આઇસોલેશન, સમરસ હોસ્ટલ વિગેરે જગ્યાએ જવા માટે રજીસ્ટ્રેશન હાથ ધરાયું હતું. ડિસ્ચાર્જ થયેલા તમામ નાગરિકો ખુશખુશાલ જોવા મળ્યા હતા. તેઓને ઘર સુધી પહોંચાડવાની તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં 5540 દર્દીઓને કોરોના સંક્રમિત છે. અત્યાર સુધીમાં 363 લોકોના મોત થયા છે, જ્યારે 1107 લોકો સ્વસ્થ થયા છે.