અમદાવાદ:  રાજ્યના પૂર્વ મંત્રીઓને ગાંધીનગરમાં ફાળવવામાં આવેલા બંગલાઓને લઈને કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા છે. ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવકતા ડો મનીષ દોશીએ આ અંગે ઘણા આક્ષેપ કર્યા છે. તેમણે કહ્યું કે, 15 પૂર્વ મંત્રીઓને સરકારી બંગલા ફાળવવામાં આવ્યા છે. રૂપિયા 4800 જેવા નજીવા ભાડે આ બંગલા ફાળવવામાં આવ્યા છે. 


મનિશ દોષીએ કહ્યું કે, પૂર્વ મંત્રીઓના બાળકોનો અભ્યાસ ન બગડે તે માટે આ સરકારી બંગલા ફાળવવામાં આવ્યા હોવાનો તર્ક આપવામાં આવ્યો છે. જો કે હકિકત એ છે કે, એક પણ પૂર્વ મંત્રીના સંતાન ગાંધીનગરમાં અભ્યાસ કરતા નથી. રૂપાણી સરકારમાંથી પડતા મુકાયેલા પૂર્વ મંત્રીઓને આ બંગલા ફાળવ્યા છે. સરકાર પૂર્વ મંત્રીઓ પાસેથી સરકારી બંગલા પાછા મેળવે તેની દોશીએ માગ કરી છે. નીતિન પટેલ, ભપેન્દ્રસિંહ ચુડાસમા, સૌરભ પટેલ, ઈશ્વર પરમાર, ગણપત વસાવા, જયેશ રાદડીયા, પ્રદિપસિંહ જાડેજા, જયદ્રથસિંહ પરમાર,પરસોતમ સોલંકી, ઈશ્વરસિંહ પટેલ, વાસણ આહીર, વિભાવરીબેન દવે, રમણલાલ પાટકર, ધર્મેન્દ્રસિંહ જાડેજા અને કુંવરજી બાવળિયાના બંગલા પાછા લેવા માગણી કરવામાં આવી છે. આ અંગે મનીષ દોશીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર પણ લખ્યો છે.


પાટીદાર અને કોળી સમાજ બાદ હવે ચૂંટણી પહેલા આ સમાજ થયો સક્રિય, રાજકોટમાં કર્યું મોટું આયોજન
રાજકોટ: 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રમાં અલગ અલગ સામાજિક સંગઠનો સક્રિય થવા લાગ્યા છે. પાટીદાર અને કોળી સમાજ બાદ હવે લોહાણા સમાજ પણ સક્રિય થયો છે. રાજકોટની હાઇપ્રોફાઈલ પશ્ચિમ બેઠકમાં રઘુવંશી મતદારો નિર્ણાયક ભૂમિકા ભજવે છે. રાજકોટમાં આજે રઘુવંશી સમાજની ક્રાંતિયાત્રા યોજાશે. સમાજની એકતા અર્થે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. રેસકોર્સથી આ યાત્રાનો સવારે 9 વાગ્યે પ્રારંભ થશે. આ યાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરશે અને ઠેર ઠેર તેમનું સ્વાગત કરવામાં આવશે. સમાજની બહુમતીને લઇને એકતા અર્થે આ યાત્રાનું આયોજન થયું છે. આ યાત્રામાં સમાજના રાજકીય સહીત સામાજિક અગ્રણીઓ જોડાશે. લોહાણા સમાજના રાજકીય સામાજિક, ઔધોગિક અને વેપારી સનગઠનોના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહેશે.


દેશના પ્રથમ મહિલા IPS અધિકારી કિરણ બેદીએ રાજકોટ જિલ્લા જેલની મુલાકાત લીધી
Rajkot : ભારતના પ્રથમ મહિલા IPS અધિકારી, દિલ્લીની  તિહાડ જેલના પૂર્વ વડા અને કેન્દ્ર શાસિત પ્રદેશ પોન્ડિચેરીના પૂર્વ ઉપરાજ્યપાલ  કિરણ બેદી(Kiran Bedi)એ રાજકોટ જિલ્લા જેલ (Rajkot District Jail)ની મુલાકાત લીધી હતી. આ સાથે જ રાજકોટમાં તેમણે શ્રીરામકૃષ્ણ મિશન આશ્રમના નેશનલ યુથ કન્વેનશનમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. 


જેલના રેડિયો સ્ટેશનમાંથી કેદીઓને સંબોધન કર્યું 
કિરણ બેદીએ જેલની વિઝિટ કરી હતી જેમાં જિલ્લા જેલમાં આવેલ લાઈબ્રેરી સહિતના વિભાગોની વિઝિટ કરી હતી સાથે જ જિલ્લા જેલમાં કેદીઓ માટે બનાવેલ રેડિયો સ્ટેશન પરથી કાચા અને પાકા કામના કેદીઓને સંબોધન કર્યું હતું. ઈડિયા વિઝન ફાઉન્ડેશન અંતર્ગત  તેમણે જેલના કેદીઓને જેલની બહાર નીકળ્યાં  પછી કેમ પગભર થવું તેનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.આ તકે રાજ્યના જેલ વડા ડો. કે.એલ.એન.રાવ તથા રાજકોટ જિલ્લા જેલ અધિક્ષક બન્નો જોશી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.