અમદાવાદના મેમનગરમાં આવેલ સસીતા એપાર્ટમેન્ટમાં ભાડેથી એકલા રહેતા 25 વર્ષીય નિખિલ સૂર્યવંશીને તેના જ ઘરમાં હાથ-પગ બાંધી ગળેફાંસો આપી હત્યા કરવામાં આવી હતી. હત્યારો કોણ છે શા માટે હત્યા કરવામાં આવી તે અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
નિખિલ સૂર્યવંશી છેલ્લા બે વર્ષથી અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતો હતો અને પ્રહલાદ નગરમાં આવેલ વોડાફોન સ્ટોરમાં એક્ઝિક્યુટિવ તરીકે ફરજ બજાવતો હતો. ઘાટલોડીયા સસીતા ડી-બ્લોકમાં રહેતા નિખિલ સૂર્યવંશીને ફ્લેટમાં આ હાથ-પગ બાંધીને હત્યારાઓ ફરાર થઈ ગયા હતા.
સમગ્ર બનાવ ત્યારે સામે આવ્યો જ્યારે બાજુમાં રહેતા લોકોને દુર્ગંધ આવતાં પોલીસને જાણ કરી હતી અને પોલીસે ઘરનો દરવાજો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. પોલીસનું અનુમાન છે કે, પાછળનો દરવાજો ખુલ્લો હોવાથી હત્યારાઓ એ ત્યાંથી અંદર આવીને હત્યા કરી ફરાર થઈ ગયા હોઈ શકે છે.