અમદાવાદ : અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 269 કેસ નોંધાયા છે. જ્યારે વધુ 22 દર્દીઓના મોત થયા છે. 115 દર્દીઓ સારવાર લઈ સ્વસ્થ થયા છે. અમદાવાદમાં નવા 269 કેસ નોંધાતા રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 5 હજારને પાર પહોંચી છે. અમદાવાદમાં હાલ 5260 પોઝિટિવ કેસ નોંધાયા છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં કુલ 343 દર્દીઓના મોત થયા છે.


છેલ્લા 24 કલાકમાં 390 નવા કેસ નોંધાયા છે જ્યારે વધુ 24 દર્દીઓના મોત થયા છે અને 163 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં કુલ કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 7403 પર પહોંચી છે અને મૃત્યુઆંક 449 પર પહોંચ્યો છે.

આજે નોંધાયેલા કુલ કોરોના કેસ પૈકી અમદાવાદમાં 269 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે વડોદરા-25, સુરત-25, ભાવનગર-1,આણંદ 1,ગાંધીનગર 9,પંચમહાલ 6, બનાસકાંઠા-8,બોટાદ 3,ગીર સોમનાથ 1,ખેડા 7, જામનગર 7,સાબરકાંઠા 7,અરવલ્લી 20,મહિસાગરમાં 1 કેસ સામે આવ્યો છે.

રાજ્યમાં કુલ 7403 કોરોના કેસમાંથી 26 દર્દી વેન્ટિલેટર પર છે અને 5056 સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1872 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 105387 ટેસ્ટ થયા જેમાંથી 7403 કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે.