અમદાવાદમાં કોરોનાના નવા 275 કેસ, 26ના મોત, સંક્રમિત દર્દીઓની સંખ્યા 9724
એબીપી અસ્મિતા વેબ ટીમ | 22 May 2020 08:26 PM (IST)
અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 275 કેસ નોંધાયા છે. જ્યારે વધુ 26 દર્દીઓના મોત થયા છે. 328 દર્દીઓ સારવાર લઈ સ્વસ્થ થયા છે.
અમદાવાદ : અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 275 કેસ નોંધાયા છે. જ્યારે વધુ 26 દર્દીઓના મોત થયા છે. 328 દર્દીઓ સારવાર લઈ સ્વસ્થ થયા છે. અમદાવાદમાં નવા 275 કેસ નોંધાતા સંક્રમિત દર્દીઓની સંખ્યા 9724 પર પહોંચી છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં કુલ 645 દર્દીઓના મોત થયા છે. અમદાવાદમાં હાલ કુલ 9724 સંક્રમિત દર્દીઓ છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ 645 લોકોના મોત થયા છે, જ્યારે 3658 લોકો સારવાર લીધા બાદ સ્વસ્થ થયા છે. રાજ્યમાં આજે કુલ 29 લોકોના મોત થયા છે તેમાંથી કુલ 26 લોકોના મોત અમદાવાદમાં થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19નાં નવા 363 કેસ સામે આવ્યા છે અને વધુ 29 દર્દીઓનાં મોત થયા છે. જ્યારે 392 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 13273 પર પહોંચી છે અને મૃત્યુઆંક 802 થયો છે. પત્રકાર પરિષદમાં સ્વાસ્થ્ય મંત્રાલયે આ જાણકારી આપી હતી.