અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. એમાં પણ અમદાવાદમાં કોરોનાનો કહેર સૌથી વધુ છે. લોકોની સાથે સાથે કોરોના વોરિયર્સ પણ આ ચેપનો ભોગ બની રહ્યા છે. ત્યારે અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનના પાંચ પોલીસકર્મીઓ પણ કોરોનાનો ભોગ બન્યા છે.


મળતી વિગતો પ્રમાણે રામોલ પોલીસ સ્ટેશનના એએસઆઇ અને 4 કોન્સ્ટેબલને કોરોના પોઝિટિવ આવ્યો છે. આ પાંચેય પોલીસકર્મીઓના સંપર્કમાં આવેલા તમામને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવશે. આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. નોંધનીય છે કે, ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાના 12910 કેસો નોંધાયા છે. જ્યારે 773 લોકોના મોત થયા છે. અમદાવાદની વાત કરીએ તો અત્યાર સુધીમાં કુલ 9449 કેસો નોંધાયા છે, જ્યારે 619 લોકોના મોત થયા છે. એક્ટિવ કેસોની વાત કરીએ તો ગુજરાતમાં હાલ 6649 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અમદાવાદમાં 5500 લોકો સારવાર હેઠળ છે.