અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલી આકાશનીમ સોસાયટીમાં કોરોનાના નવા ચાર કેસ નોંધાયા છે. આ સાથે જ આકાશનીમ સોસાયટીમાં કોરોનાનો આંક 10 પર પહોંચી ગયો છે. એક જ સોસાયટીમાં ફરી કેસો નોંધાવા લાગતા સંક્રમણ ફરી એકવાર વકરવાની ભીતિ છે. 17 સપ્ટેમ્બર બાદ અમદાવાદમાં દૈનિક કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે.


ગુજરાતમાં કોરોના કેસ


ગુજરાતમાં ગઈકાલે કોરોનાના નવા 23 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 14 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,740 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.76 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં ગઈકાલે કોરોના સંક્રમણથી એકપણ વ્યક્તિનું મોત થયું નથી. ગઈકાલે  62,842 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.


જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 180  કેસ છે. જે પૈકી 04 વેન્ટીલેટર પર છે, જ્યારે 176 નાગરિકો સ્ટેબલ છે. 8,15,740 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10082 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે, ગઈકાલે કોરોનાને કારણે એક પણ દર્દીનું મોત થયું નથી. સુરત કોર્પોરેશનમાં  8, અમદાવાદ  કોર્પોરેશનમાં 6, સુરત 3, વલસાડ 3, ખેડા 1, નવસારી 1 અને વડોદરા કોર્પોરેશનમાં  1  કોરોના વાયરસનો કેસ નોંધાયો છે.


રાજ્યમાં રસીકરણની વાત કરવામાં આવે તો રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી  3  કર્મચારીઓને રસીનો પ્રથમ ડોઝ અને 459 કર્મચારીને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 8824 નાગરિકોને  રસીનો પ્રથમ અને 7797  નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષ સુધીના  24741  નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 21018 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજના દિવસમાં 62,842  કુલ રસીના ડોઝ અપાયા છે. અત્યાર સુધીમાં 6,14,44,354 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.


અમદાવાદ,  અમરેલી, આણંદ, અરવલ્લી,  બનાસકાંઠા, ભરુચ,  ભાવનગર, ભાવનગર  કોર્પોરેશન,  બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ,  દેવભૂમિ દ્વારકા,  ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન,  ગીર સોમનાથ, જામનગર,  જામનગર કોર્પોરેશન, જુનાગઢ, જુનાગઢ કોર્પોરેશન,   કચ્છ,   મહીસાગર, મહેસાણા,  મોરબી, નર્મદા,    પંચમહાલ, પાટણ,  પોરબંદર, રાજકોટ, રાજકોટ કોર્પોરેશન,    સાબરકાંઠા,  સુરેન્દ્રનગર, તાપી  અને વડોદરામાં એક પણ કોરોના વાયરસનો નવો કેસ નથી નોંધાયો.