અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે અમદાવાદ માટે થોડા રાહતના સમાચાર આવ્યા છે. ગઈ કાલે અમદાવાદાં એક જ દિવસમાં 436 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. નોંધનીય છે કે, ગુજરાતમાં ગઈ કાલે એક સાથે 503 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે ગુજરાતમાં દર્દીઓનો રીકવરી રેટ વધીને 48.13 ટકા થઈ ગયો છે. જે લોકો માટે ખુબ સારા સમાચાર કહી શકાય.


રાજ્યમાં અઠવાડિયા પહેલા દર્દીઓની રીકવરી રેટ 40.89 ટકા હતો. જે વધીને 48.13 ટકા થયો છે. જે સમગ્ર દેશના 41.60 ટકા રીકવરી રેટની સરખામણીએ વધારે છે. ગઈ કાલે ગુજરાતમાં અમદાવાદમાં પછી સુરતમાંથી 25 દર્દીઓને રજા આપવામાં આવી છે.



આ સિવાય વડોદરામાં 9, પાટણમાં 8, સાબરકાંઠામાં 9, ખેડામાં 6, ગાંધીનગરમાં 4, મહેસાણા અને સુરેન્દ્રનગરમાં 2-2, ભરુચ અને રાજકોટમાં 1-1 દર્દીને રજા આપવામાં આવી છે. ત્યારે અત્યાર સુધીમાં કુલ 7137 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જ્યારે ગુજરાતમાં હાલ, કુલ 6777 એક્ટિવ કેસ છે.

અમદાવાદમાં ગઈ કાલે 251 કેસ નોંધાયા હતા. જ્યારે 23 લોકોના મોત થયા છે. આમ, અમદાવાદમાં કોરોનાના કુલ 10,841 કેસ નોંધાયા છે. તેમજ અમદાવાદમાં કુલ 4623 લોકોએ કોરોને મ્હાત આપી છે. જ્યારે અમદાવાદમાં કુલ 745 લોકોના કોરોનાથી મોત થયા છે. આ સિવાય રાહતના સમાચાર એ પણ છે કે, ગુજરાતના 4 જિલ્લામાં છેલ્લા છ દિવસથી એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી. આ જિલ્લાઓમાં ભરુચ, છોટા ઉદેપુર, ડાંગ અને દેવભૂમિ દ્વારકાનો સમાવેશ થાય છે.