Ahemdabad News:અમદાવાદ મહાનગરપાલિકાના વોર્ડ ઇન્સ્પેક્ટર સુનિલ રાણા વિરૂદ્ધ અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ  થયો છે. તપાસમાં  સત્તાવાર કરતા 306 ટકા વધુ મિલકત હોવાનો ઘટસ્ફોટ થયો છે. તેમની પાસેથી  2.75 કરોડની  અપ્રમાણસર મિલકત મળી આવી છે. ઉલ્લેખનિય છે કે કેટલીક સંપતી પત્ની-સંતાનોના નામે હોવાનું સામે આવ્યું છે. વૈષ્ણોદેવી વિસ્તારમાં સુનિલ રાણાનો ફ્લેટ છે ઉપરાંત જસમીન ગ્રીન-1માં બ્લોક Cના 503 લક્ઝુરીયસ ફ્લેટ છે. આ ફ્લેટ પત્ની મનીષા રાણાના નામે હોવાનો ખુલાસો  થયો છે. આ ફ્લેટ માત્ર ઇન્વેસ્ટ માટે લીધો હોવાથી બંધ હોવાની બાતમી મળી છે.


આ લાંચિયા અધિકારી સુનીલ રાણાના સુઘડના મકાને  abp અસ્મિતાની ટીમ પહોંચી હતી. અહીં સુઘડની શ્રીબાલાજી અગોરા રેસીડેન્સીમાં  સુનીલ રાણાએ પત્નીના નામે ફ્લેટ લીધો છે. મનીષા રાણાના નામે F2મા 9 નંબરનો ફ્લેટ છે.
વર્ષ 2014માં સુનીલ રાણા એ પત્નીના નામે ફ્લેટ ખરીદ્યો  હતો. સુનીલ રાણાએ અંદાજિત રૂ. 14 લાખમાં આ ફ્લેટ ખરીદ્યો હોવાની માહિતી મળી છે.             


ઇમરાન ખેડાવાલેએ ભ્રષ્ટ્ર અધિકારી મામલે  આપ્યું નિવેદન


તો આ સમગ્ર મામલે  જમાલપુર ખાડીયા વિધાનસભાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનું મોટું નિવેદન આપ્યું છે. સમગ્ર ગુજરાતમાં 50 કલાસ 1 અને 2 ના અધિકારીઓ સામે ભ્રષ્ટાચારની તપાસ અંગે સરકારમાં  અરજી ગઈ છે.  જો કે IAS, IPS અને GAS કક્ષાના અધિકારીઓ સામે તપાસ માટે સરકાર મંજૂરી આપતી નથી, સુનિલ રાણા નાની માછલી છે,મોટા મગરમચ્છ હજી બહાર ફરે છે,આગામી વિધાનસભામાં હું વિધાનસભા માં આ અંગે બિલ લાવવા માંગણી કરવાનો છે, 
કોટ વિસ્તારમાં નવા GDCR અને નવી પોલિસી માટે હું બિલ લાવવા પણ માંગણી કરવાનો છું.