Vijay Rupani Last Rites: ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અકાળ અવસાન બાદ, આજે (16 જૂન) તેમનો મૃતદેહ તેમના પરિવારને સોંપવામાં આવશે. આ મોટા અકસ્માતમાં અત્યાર સુધીમાં 97 ડીએનએ મેચ થયાની પુષ્ટિ થઈ છે અને 35 મૃતદેહો તેમના પરિવારોને સોંપવામાં આવ્યા છે.

 આજે યાદીમાં વિજય  રૂપાણીનું નામ પણ સામેલ થશે, જેમના પાર્થિવદેહને અંતિમ સંસ્કાર માટે પરિવારને સોંપવામાં આવ્યો  છે. સમગ્ર ગુજરાતમાં શોકનું મોજું છે. આજે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

બધી આત્માઓને મુક્તિ મળે - ઋષભ રૂપાણી

વિજય રૂપાણીના પુત્ર ઋષભ રૂપાણીએ ANI ને આપેલા એક નિવેદનમાં આ પ્રસંગે ઊંડો શોક વ્યક્ત કર્યો અને તમામ અસરગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું, "દુઃખની આ ઘડીમાં, હું અમારા રૂપાણી પરિવાર વતી તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. આ ફક્ત અમારા પરિવાર માટે જ નહીં પરંતુ 270 પરિવારો માટે પણ દુઃખદ સમય છે."

 

તેમણે કહ્યું, "હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તેઓ બધા આત્માઓને મુક્તિ આપે. હું તમામ આરોગ્ય કર્મચારીઓ, નાગરિક સંરક્ષણ, પોલીસ દળ, RSS કાર્યકરોનો હૃદયપૂર્વક આભાર માનું છું. આ સમય દરમિયાન કરવામાં આવેલ રાહત અને બચાવ કાર્ય પ્રશંસનીય છે. હું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત દરેકનો તેમના સહયોગ બદલ હૃદયપૂર્વક આભાર માનું છું."

 

રાજકોટ એરપોર્ટ પહોંચ્યા પછી અંતિમ યાત્રા શરૂ થશે

આજે યોજાનારી આ અંતિમ યાત્રાનો રૂટ પહેલાથી જ નક્કી થઈ ગયો છે. સવારે 11 વાગ્યે, રૂપાણીનો પરિવાર ગાંધીનગર સ્થિત તેમના નિવાસસ્થાનેથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ જવા રવાના થશે. સવારે 11.30 વાગ્યે, મૃતદેહને ઔપચારિક રીતે હોસ્પિટલમાં સ્વીકારવામાં આવશે. ત્યાંથી એરપોર્ટ સુધીની યાત્રા સવારે ૧૧.૩૦ થી ૧૨.૩૦ વાગ્યા સુધી રહેશે. બપોરે ૧૨.૩૦ વાગ્યે, રૂપાણીના પાર્થિવ શરીરને અમદાવાદથી રાજકોટ એરલિફ્ટ કરવામાં આવશે. બપોરે ૨ વાગ્યા સુધીમાં રાજકોટ એરપોર્ટ પહોંચ્યા બાદ, અંતિમ યાત્રાની તૈયારીઓ શરૂ થશે.

 

રાજકારણીઓથી લઈને સામાન્ય લોકો સુધી, બધા શ્રદ્ધાંજલિ આપશે

બપોરે 2 વાગ્યાથી 2:30 વાગ્યા સુધી, રાજકોટ એરપોર્ટથી ગ્રીનલેન્ડ ચોક સુધી અંતિમ યાત્રા શરૂ થશે. ત્યારબાદ 2:૩૦ થી 4 વાગ્યા સુધી, ગ્રીનલેન્ડ ચોકથી રાજકોટ નિવાસસ્થાન સુધી અંતિમ યાત્રા પૂર્ણ થશે. સાંજે 4થી5૫ વાગ્યા સુધી રાજકોટ નિવાસસ્થાન પર સામાન્ય લોકોના અંતિમ દર્શન માટે વ્યવસ્થા કરવામાં આવી છે. આ સમય દરમિયાન, પક્ષના કાર્યકરો, સામાજિક કાર્યકરો, રાજકારણીઓ અને સામાન્ય લોકો મોટી સંખ્યામાં શ્રદ્ધાંજલિ આપશે.