રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. કોરોના સંક્રમણ વધતા અમદાવાદ રેલવે પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે.  અમદાવાદ ડિવિઝન પર કોવિડ-19ના વધતા જતા કેસને લઈ બિનજરૂરી ભીડને નિયંત્રિત કરવાના માટે પ્લેટફોર્મ ટિકિટ ના ભાવ ફરી વધારી દેવામાં આવ્યા છે. 18 જાન્યુઆરી 2022થી ડિવિઝનના અમદાવાદ, ગાંધીધામ, પાલનપુર, મહેસાણા, ભુજ, મણિનગર અને સાબરમતી સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટનો દર હાલ રુપિયા 10 થી વધારીને 30 રુપિયા  કરવામાં આવ્યો છે.


કોરોનાના સમયગાળા દરમિયાન રેલવે સ્ટેશનો પર મુસાફરોના બિનજરૂરી ધસારાને નિયંત્રણમાં લેવાને કારણે રેલવે સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટના દરમાં રૂ. 30નો વધારો કરવામાં આવ્યો હતો. જે અગાઉ ઘટાડીને ફરી 10 રૂપિયા કરી દેવામાં આવ્યો હતો. જોકે ફરી એકવાર કોરોના સંક્રમણ વધી રહ્યું છે, જેને લીધે રેલવે સ્ટેશન પર લોકોની અવરજવર ઘટાડી શકાય તે માટે ફરી પ્લેટફોર્મ ટિકિટ ના ભાવ 30 રૂપિયા કરવામાં આવ્યા છે.


રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 12735  કેસ


 


ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે.  રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 12735  કેસ નોંધાયા છે. બીજી તરફ 5984  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ  8,58,455 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 91.42 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે  5 મોત થયા. આજે 2,63,593 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 4340, સુરત કોર્પોરેશનમાં 2955,  વડોદરા   કોર્પોરેશનમાં 1207,   સુરતમાં 464,  રાજકોટ કોર્પોરેશનમાં 461, વલસાડ  340, નવસારી 300, ભરુચ 284, ગાંધીનગર કોર્પોરેશનમાં 212, જામનગર કોર્પોરેશનમાં 210, ભાવનગર કોર્પોરેશનમાં 202, મોરબી 182, મહેસાણા 152, કચ્છમાં 149, પાટણ 122, રાજકોટ 120, વડોદરા 106, ખેડા 102, ગાંધીનગર 96, બનાસકાંઠા 91, સુરેન્દ્રનગર 75, અમદાવાદ 69,  જૂનાગઢ કોર્પોરેશનમાં 59,  જામનગરમાં 55, ગીર સોમનાથ 51, આણંદ 44, અમરેલી 43, દેવભૂમિ દ્વારકા 41, નર્મદા 35, ભાવનગર 32, દાહોદ 31, પંચમહાલ 31, મહીસાગર 20, સાબરકાંઠા 20, પોરબંદર 19, તાપી 19, જૂનાગઢ 10, બોટાદ 2, અરવલ્લી 1 અને  છોટા ઉદેપુરમાં 1 નવો કોરોનાનો કેસ નોંધાયો હતો


જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 70374 કેસ છે. જે પૈકી 95 વેન્ટીલેટર પર છે, જ્યારે 70279 નાગરિકો સ્ટેબલ છે. 858455 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10,164 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે કોરોનાના કારણે 5 લોકોના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 1,સુરત  કોર્પોરેશનમાં 1, સુરત 2, પંચમહાલમાં એક દર્દીનું મોત થયું છે.