અમદાવાદ: અમદાવાદના કાલુપુર ટંકશાળમાં આઇટીએ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે. આઈટીના સર્ચ ઓપરેશનથી વેપારીઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. છેલ્લી 45 મિનિટથી આઇટીનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યુ છે.


તો બીજી બાજુ શહેરના 40 જેટલા નામાંકિત જ્વેલર્સોને ત્યાં એક્સાઇઝ વિભાગે નોટિસ ફટકારી છે. એક્સાઇઝ વિભાગે 7થી 11 તારીખ સુધીમાં કેટલું સોનું વેચાયું તેનો રિપોર્ટ
માંગ્યો છે. એક્સાઇઝ વિભાગને સોનાની કિંમત કરતા વધુ કિંમતનું સોનું વેચ્યુ હોવાની શંકા છે.