અમદાવાદઃ શહેરમાં એક ચોંકાવનારી ઘટના બની છે. કે.કે.નગરમાં 65 વર્ષના એક વ્યક્તિએ સેનિટાઇઝર છાંટી સળગી જઈને આત્મહત્યા કરી છે. મળતી વિગત પ્રમાણે, ઘાટલોડિયામાં આવેલા કે.કે નગરના સમર્પણ ટાવરમાં પાંચમા માળેથી એક વૃદ્ધે સળગેલી હાલતમાં નીચે ઝંપલાવી આત્મહત્યા કરી લીધી છે. વહેલી સવારે ઘરના કોઈ વ્યક્તિને જાણ ન થાય તે રીતે વૃદ્ધે સળગી ઝંપલાવ્યુ હતું.


મૃતકનું નામ જયપ્રકાશ હોવાનું જાણવા મળ્યું છે. તેણે સેનિટાઇઝર છાંટીને બળીને આત્મહત્યા કરી હતી. ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તાત્કાલિક વૃદ્ધને સારવાર માટે 108માં હોસ્પિટલમાં મોકલ્યા હતા. જ્યાં તેઓનું મોત થયું હતું.



પરિવારના કોઈપણ વ્યક્તિને જાણ ન થાય તે રીતે વૃદ્ધે આપઘાત કર્યાની આશંકા છે. ઘાટલોડિયા પોલીસે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે.