અમદાવાદ: અમદાવાદમાં મેટ્રો રેલ પ્રોજેકટની કામગીરી અંતર્ગત નહેરુબ્રિજ રાત્રીના સમયે બંધ રહેશે. 15 જાન્યુઆરીથી લઈને 30 જાન્યુઆરી સુધી રાત્રે કામગીરી હાથ ધરવામાં આવશે. નાગરિકોએ એલિસબ્રિજથી ધૂલિયા કોર્ટ સર્કલથી લો ગાર્ડન તરફ અવર-જવર કરી શકશે.


પોલીસના આગામી જાહેરનામા સુધી બ્રિજ નો- પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. સેગમેન્ટ એક્શનની કામગીરી કરવાની હોવાથી ટ્રાફિક વિભાગના સંયુક્ત કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે.