અમદાવાદઃ સામાન્ય વરસાદમાં અમદાવાદ ભુવા નગરી બની ગયું છે. સરખેજ વિસ્તારમાં રોડ ઉપર ભૂવો પડતા વાહન ભુવામાં ગરકાવ થયું હતું. રિક્ષાચાલક રોડ પરથી પસાર થતો હતો ત્યારે 15 ફૂટ લાંબા અને ૧૦ ફૂટ પહોળા ભૂવામાં રીક્ષા સાથે ખાબક્યો હતો.  17 ફૂટ ઊંડા ભૂવામાં રીક્ષા ખાબકતા રિક્ષાચાલક ઘાયલ થઈ ગયો હતો. 




ભૂવામાં ખાબકેલા રિક્ષાચાલકને બચાવવા ફાયર બ્રિગેડ અને પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા હતા. 30 મિનિટની ભારે જહેમત બાદ ભૂવામાં ગરકાવ થયેલી રિક્ષાને બહાર કાઢવામાં આવી હતી. ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. 






વરસાદ બાદ ચાંદલોડિયા વિસ્તારમાં પાણી ભરાયા હતા. એસજી હાઈવેથી ચાંદલોડિયા આવતા રોડ પર પાણી ભરાયા હતા. રસ્તા પર ખાડા અને પાણી ભરજવાથી સવારથી શહેરીજનો પરેશાન છે.


શહેરમા વહેલી સવારે વરસાદી ઝાપટું પડ્યું હતું. વરસાદી ઝાપટાથી કેટલાક વિસ્તારમાં પાણી ભરાયા હતા. ગોતા એસજી હાઈવે સર્વીસ રોડ પર વરસાદી પાણી ભરાયા હતા. ૧ કિમી સુધિ સર્વિસ રોડ પર ભરાયા વરસાદી પાણી.  સરેરાશ માત્ર એક ઈંચ વરસાદથી અમદાવાદના અનેક વિસ્તારો પાણીમાં ભરાયા હતા. મ્યુનિ.નો મોન્સુન પ્લાન પાણીમાં ધોવાયો હતો. શહેરના એક ડઝનથી વધુ સ્થળોએ દોઢથી બે ફૂટ જેટલા વરસાદી પાણી ભરાયા, શાસ્ત્રીનગરમાં ખાડામાં બસ ફસાઈ,અનેક વિસ્તારોમાં વાહનો પાણીમાં ફસાયા હતા. 



અમદાવાદ શહેરમાં સાંજે 6 કલાક સુધી 26.38 મીમી વરસાદ ખાબક્યો હતો. બોડકદેવ સાયન્સ સીટી ગોતા આસપાસના વિસ્તારમાં 43.88 મિમી વરસાદ પડ્યો હતો. સરખેજ જોધપુર બોપલ વિસ્તારમાં 34.52 મિમી વરસાદ, તો પૂર્વ વિસ્તારમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો હતો.


રાજ્યમાં ફરી ચોમાસું જામ્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના અનેક જિલ્લામાં આગામી પાંચ દિવસ ભારે વરસાદ પડી શકે છે. જ્યારે રાજ્યના ૨૦ જિલ્લામાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, પાટણ, મહેસાણામાં અતિભારે વરસાદની આગાહીને લઈ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.


 


જ્યારે કચ્છ, જામનગર, દ્વારકા, જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, બોટાદ, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, છોટા ઉદેપુરમાં ભારે વરસાદની આગાહીને લઈ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે..આ સાથે બુધવારે વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદ પડી શકે છે. તો નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરામાં ભારે વરસાદ પડી શકે છે.


 


ગુરુવારે રાજકોટમાં અતિભારે અને વલસાડ, દમણ, જુનાગઢ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદ પડી શકે છે. રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો ૨૭.૬૧ ઈંચ સાથે ૮૩.૫૧ ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં ૪૦ ઈંચથી વધુ વરસાદ નોંધાયો હોય તેવા ૪૦ તાલુકા છે. તો કચ્છમાં ૮૭.૬૩ ટકા, ઉત્તર ગુજરાતમાં ૬૮.૩૧ ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં ૭૬.૨૬ ટકા, સૌરાષ્ટ્રમાં ૯૩.૧૪ ટકા અને દક્ષિણ ગુજરાતમાં ૮૨.૭૯ ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો છે.


 


રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે રાહત-બચાવ અંગે આગોતરા પલગાં ભરવા તમામ જીલ્લા કલેકટરને સુચના અપાઈ છે. આવતીકાલથી 30 સપ્ટેબર સુધી હવામાન વિભાગે અતિભારે વરસાદની આગાહી કરી છે. જેને લઈ જ્યાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવવાની શક્યાતા હોય ત્યાંથી લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાવવા સુચના અપાઈ છે. તો નાગરીકોનું સ્થળાંતર કરાય તેમનું માહિતી પત્રક મોકલવા પણ સુચના અપાઈ છે.