અમદાવાદઃ આગામી 21મી ફેબ્રુઆરીએ 6 મનપા માટેની ચૂંટણી યોજાવાની છે, જેમાં અમદાવાદનો પણ સમાવેશ થાય છે. ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા ચૂંટણી પહેલા ઘાટલોડિયા વોર્ડમાં રાજકારણ ગરમાયું છે. પૂર્વ કોર્પોરેટર જતીન પટેલનું નામ મતદાર યાદીમાંથી ગાયબ થતા ખળભળાટ મચી ગયો છે.


નોંધનીય છે કે, જતીન પટેલ રોડ કમિટીના ચેરમેન પણ રહી ચુક્યા છે. મતદાર યાદીમાં નામ ના હોય તો ચૂંટણી માટે ઉમેદવાર તરીકે ગેરલાયક ઠરે, ત્યારે ભાજપનું સ્થાનિક તંત્ર દોડતું થયું છે. નોંધનીય છે કે, આગામી 21મી ફેબ્રુઆરીએ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને જામનગરમાં કોર્પોરેશનની ચૂંટણી યોજાવાની છે.