અમદાવાદઃ 1955 માં બનાવવામાં આવેલા લાલ દરવાજા બસ ટર્મિનસને હેરિટેજ લુક અપાશે. 6 કરોડના ખર્ચે આગામી એક વર્ષમાં નવા દેખાવ વાળું લાલ દરવાજા ટર્મિનસ  ઉભું કરાશે.


લાલ દરવાજા AMTS બસ ટર્મિનસની હવે સૂરત બદલાશે. વર્ષ 1955-56 માં બનાવવામાં આવેલા AMTS ટર્મિનસને હેરિટેજ લુક સાથે નવેસરથી ઉભું કરવામાં આવશે. વર્ષ 2019માં મંજુર થયેલી દરખાસ્ત બાદ લાલ દરવાજા ટર્મિનસના નવીનીકરણની કામગીરી શરૂ થનાર હતી, પણ બસ ટર્મિનસની 200 મીટર નજીક આવેલી હેરિટેજ ઇમારતના કારણે દિલ્હી સ્થિત આર્કિયોલોજી વિભાગ પાસે પરવાનગી લેવામાં બે વર્ષનો સમય લાગ્યો.




ટેન્ડરિંગની પ્રક્રિયા પૂર્ણ કરી દેવાયા બાદ અંદાજીત 6 થી સાડા છ કરોડના ખર્ચે અમદાવાદ શહેરનું નવું AMTS બસ ટર્મિનસ બનાવવામાં આવશે. હેરિટેજ દેખાવ ધરાવતા લાલ દરવાજા બસ ટર્મિનસની શુ વિશેષતાઓ હશે તેના ઉપર નજર કરીએ તો 11.583 સ્કવેર મીટરમાં લાલ દરવાજા બસ ટર્મિનસ બનશે. 




 20 રૂટ ઉપરની 106 બસો લાલ દરવાજા ટર્મિનસ ઉપરથી પસાર થશે. 50 જેટલા રૂટ આવરી લેતી બસો પણ લાલ દરવાજા ટર્મિનસથી ઉપડશે. 21 જેટલી કેબિનમાંથી ટર્મિનસ કંટ્રોલ કરવામાં આવશે. 2.20 લાખ જેટલા દૈનિક મુસાફરોની અવરજવર ટર્મિનસ ઉપર રહેશે.  ટર્મિનલ ઓફિસ,કેશ કેબિન,ટિકિટ ઇશ્યુ સેન્ટર પણ ઉભા કરવામાં આવશે. 65 વર્ષ બાદ લાલ દરવાજા બસ ટર્મિનસનું કરાશે નવીનીકરણ. 






માસ પ્રમોશન પછી ધો-11માં પ્રવેશ ન મળવા મુદ્દે ભુપેન્દ્રસિંહે શું આપ્યું મોટું નિવેદન? જાણો વિગત


અમદાવાદઃ આજે સ્કાઉટ ભવન ખાતે પ્રતિબદ્ધતા સન્માન કાર્યક્રમમાં શિક્ષકોના સન્માન માટે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ઉપસ્થિત રહ્યા હતા. ત્યાં તેમણે શિક્ષકોનુ સન્માન કર્યું હતું. ધોરણ 11માં પ્રવેશ ન મળવા અંગે તેમણે કહ્યું હતું કે કોઈપણ વિદ્યાર્થી ધોરણ 11ના પ્રવેશથી વંચિત નહીં રહે. ગ્રાન્ટ ઇન શાળાઓમાં જે સ્કૂલોનો શિક્ષકોને હાજર નહીં કરે તેમની સામે કાર્યવાહી કરવાનું નિવેદન આપ્યું હતું. 


તેમણે કહ્યું હતું કે, 2938 શાળાઓમાંથી પાંચથી છ શાળાઓની ફરિયાદ અમારી સામે આવી છે, તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. ગ્રાન્ટઇન સ્કૂલોમાં કેટલીક સ્કૂલો શિક્ષકોને હાજર નથી કરતી. સરકારે નિમણૂક કર્યા બાદ પણ હાજર ન કરતી સ્કૂલો પર કાર્યાવહી થશે. આધુનિક શિક્ષણ સ્માર્ટ શાળાઓનું લોકાર્પણ કરાયું છે. અંગ્રેજી માધ્યમમાં પણ જુનિયર સિનિયર કેજીને લગતો અભ્યાસક્રમ સરકારી શાળામાં પ્રસિદ્ધ કરવાનું કામ AMCએ કર્યું. AMCનું આ કામ ધન્યવાદને પાત્ર છે. 


પ્રતિબદ્ધતા સન્માન કાર્યક્રમમાં હાજર રહેલા શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ નિવેદન આપ્યું હતું કે, આધુનિક શિક્ષણ બાળકોને મળી રહે એ માટે સ્માર્ટ સ્કૂલનું લોકાર્પણ કરાયું છે. AMC સંચાલિત સ્કૂલના શિક્ષકો ધન્યવાદને પાત્ર છેઅંગ્રેજી માધ્યમના જુનિયર અને સિનિયર કે.જી.ને લગતો અભ્યાસક્રમ સરકારી શાળામાં પ્રસિદ્ધ કરવાનું કામ શિક્ષકોએ જાતે જ કર્યું છે. ધોરણ 11ના પ્રવેશને લઈને શિક્ષણમંત્રીએ જાહેરાત કરી હતી કે, એક પણ વિદ્યાર્થી પ્રવેશથી વંચિત નહિ રહે. 
કોઈ વિદ્યાર્થીઓ ચિતા કરવાની જરૂર નથી. શિક્ષણથી કોઈ વંચિત નહિ રહે.