અમદાવાદઃ અમદાવાદ કોંગ્રેસમાં ફરી કંકાસ સામે આવ્યો છે. સ્ટેજ પરથી કોંગ્રેસના ધારાસભ્ય હિમતસિંહ પટેલે કોંગ્રેસના નેતાને ઉતારી મુક્યા છે. શુક્રવારના રોજ ગોમતીપુરમાં કોંગ્રેસની પેનલના પ્રચાર માટે સભા રાખવામાં આવી હતી. કોંગ્રેસ નેતા અમિત નાયકે હિમતસિંહ પટેલ પર આક્ષેપ કર્યા છે.


તેમણે જણાવ્યું હતું કે, બાપુનગર બેઠકમાં OBC સમાજના 20 હજારથી વધુ મત છે. હિંમતસિંહ જે ગુર્જર સમાજમાંથી આવે છે તેના બાપુનગર બેઠક ઉપર માત્ર 0.020 ટકા મતદાર છે. સ્ટેજ પરથી ઉતારી મુકવાની ઘટના બાદ દુઃખી થયો છું. પાર્ટી માટે દંડા પણ ખાધા છે અને પોલીસ કેસ પણ થયા છે છતાં પણ આ પરિણામ કેટલું યોગ્ય?