અમદાવાદઃ લોકસભા ચૂંટણીમાં ભવ્ય જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ પ્રથમ વખત અમદાવાદ આવ્યા હતા. એરપોર્ટ પર સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાજંલિ આપ્યા બાદ તેઓ ભાજપના ખાનપુર સ્થિત કાર્યાલય પર આવ્યા હતા. અહીંયા પીએમ મોદીએ જનસભાને સંબોધી હતી. સંબોધન પૂરું થયા બાદ ખાનપુરના જેપી ચોકમાં હાજર ભાજપ કાર્યકર્તાઓ અને સમર્થકોએ મોબાઇલ ટોર્ચ ચાલુ કરી પીએમનું અભિવાદન કર્યું હતું. પીએમ મોદી, અમિત શાહ અને સ્ટેજ પર હાજર રહેલા લોકોએ પણ ત્યાંથી હાથ હલાવી જનમેદનીનું અભિવાદન ઝીલ્યું હતું.


જીતને પચાવવાની તાકાત હોવી જોઈએ, આગામી 5 વર્ષનો સમયગાળો ખૂબ મહત્વનોઃ મોદી

આતંકીઓના છક્કા છોડાવનાર, 56ની છાતી ધરાવતા નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં લોકોએ પ્રચંડ વિશ્વાસ મુક્યોઃ રૂપાણી