ખાનપુરમાં PM મોદીએ સંબોધન પૂરું કર્યા બાદ લોકોએ શું કર્યું ? જાણો વિગત
ખાનપુરમાં PM મોદીએ સંબોધન પૂરું કર્યા બાદ લોકોએ શું કર્યું ? જાણો વિગત
abpasmita.in Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
ખાનપુરના જેપી ચોકમાં હાજર ભાજપ કાર્યકર્તાઓ અને સમર્થકોએ મોબાઇલ ટોર્ચ ચાલુ કરી પીએમનું અભિવાદન કર્યું હતું. પીએમ મોદી, અમિત શાહ અને સ્ટેજ પર હાજર રહેલા લોકોએ પણ ત્યાંથી હાથ હલાવી જનમેદનીનું અભિવાદન ઝીલ્યું હતું.
અમદાવાદઃ લોકસભા ચૂંટણીમાં ભવ્ય જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ પ્રથમ વખત અમદાવાદ આવ્યા હતા. એરપોર્ટ પર સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાજંલિ આપ્યા બાદ તેઓ ભાજપના ખાનપુર સ્થિત કાર્યાલય પર આવ્યા હતા. અહીંયા પીએમ મોદીએ જનસભાને સંબોધી હતી. સંબોધન પૂરું થયા બાદ ખાનપુરના જેપી ચોકમાં હાજર ભાજપ કાર્યકર્તાઓ અને સમર્થકોએ મોબાઇલ ટોર્ચ ચાલુ કરી પીએમનું અભિવાદન કર્યું હતું. પીએમ મોદી, અમિત શાહ અને સ્ટેજ પર હાજર રહેલા લોકોએ પણ ત્યાંથી હાથ હલાવી જનમેદનીનું અભિવાદન ઝીલ્યું હતું.