અમદાવાદઃ અમદાવાદ એરપોર્ટ પાસે આવેલ નોબલનગરમાં પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ થયું છે. જોકે, ઘર્ષણ શેના કારણે થયું છે તે હાલ જાણી શકાયું નથી. લોકો રોડ પર આવી જતાં એક કિલોમીટર સુધીનો ટ્રાફિકજામ થઈ ગયો હતો. ડીસીપી સહિતના પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનસ્થળે હાજર છે.


વીડિયોમાં લોકો પોલીસ વાનમાં બેઠેલા અધિકારીએ અંદરથી દરવાજો બંધ કરી દિધો હોવાનો અને દારૂ પીધો હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. એક યુવકે પોલીસે માર માર્યો હોવાનો આક્ષેપ પણ લગાવ્યો હતો.