ઉત્તરાયણને લઈ અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું, આટલું ધ્યાન રાખજો નહીં તો થશે કાર્યવાહી
એબીપી અસ્મિતા વેબ ટીમ | 28 Dec 2020 09:05 PM (IST)
ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે જાહેરનામુ પ્રસિદ્ધ કર્યુ છે.
અમદાવાદ: ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે જાહેરનામુ પ્રસિદ્ધ કર્યુ છે. ચાઈનીઝ લોન્ચર, ચાઈનીઝ તુક્કલના ઉત્પાદન, વેચાણ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ઉત્તરાયણને લઇને અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે એક જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં ચાઈનીઝ લોન્ચર, ચાઈનીઝ તુક્કલના ઉત્પાદન, વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તો ચાઈનીઝ દોરાના વેચાણ અને તેના ઉપયોગ પર પણ પ્રતિબંધ મુકાયો છે. વધુમાં અમદાવાદમાં રસ્તા પર, ફૂટપાથ પર પતંગ ઉડાડવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. લાઉડ સ્પિકર, ઉશ્કેરણીજનક રીતે પતંગ ઉડાડવા પર પણ પ્રતિબંધ રહેશે. વાયર પર લંગર, બંબુ, લોખંડના ઝંડા નાખવા પર કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે જ જાહેર રસ્તાઓ પર પશુઓના ઘાસચારો નાખવા પર પ્રતિબંધ મુકાયો છે. જો ઉત્તરાયણમાં કોરોનાની ગાઈડલાઈનનો ભંગ થશે તો પણ ગુનો નોંધવામાં આવશે. ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે જાહેરનામુ પ્રસિદ્ધ કર્યુ છે.