ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું સૌપ્રથમ ચરણ એટલે જળયાત્રા. આજે જ્યેષ્ઠ પૂર્ણિમા છે ત્યારે ભગવાન જગન્નાથજીની જળયાત્રા યોજાઇ હતો. જોકે, તેમાં પ્રથમવાર કોઇ ભક્તો-સંતો જોડાયા નહોતા. આ ઉપરાંત આ વખતે કોઇ વ્યક્તિગત યજમાનને બદલે સમગ્ર સરસપુર ગામ દ્વારા જ ભગવાનના મામેરાની યજમાની કરવામાં આવશે.
આ વખતે મહામારી કોરોનાને પગલે ભગવાન જગન્નાથજીની જળયાત્રા સાદગીપૂર્વક યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ વખતે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ સહિત ગણતરીના લોકો જ જળયાત્રામાં જોડાયા હતા. તેમજ સરકાર વતી નીતિન પટેલ હાજર રહ્યા હતા. ભક્તો-સંતો વિના જ જળયાત્રા યોજાતી હોય તેવું સૌપ્રથમવાર બન્યું છે.