Ahmedabad Air India Plane Crash: આજે બપોરે અમદાવાદમાં એક મોટી વિમાન દુર્ઘટના બની. અમદાવાદથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઇટ AI171 ટેકઓફ કર્યાના થોડી મિનિટો પછી જ ક્રેશ થઈ ગઈ. આ અકસ્માત અમદાવાદ એરપોર્ટ નજીક મેઘાણીનગર વિસ્તારમાં થયો હતો, જ્યાં વિમાન પડી ગયા બાદ તેમાં આગ લાગી હતી. વિમાનમાં 230 મુસાફરો અને 12 ક્રૂ સભ્યો સવાર હતા. ઘટનાસ્થળેથી નીકળતા ધુમાડા અને સળગતા વિમાનના ફોટા આ અકસ્માતની ભયાનકતા કહી રહ્યા છે.
એર ઇન્ડિયાનું નિવેદન બહાર આવ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે વિમાનમાં 169 ભારતીય નાગરિકો, 53 બ્રિટિશ નાગરિકો, 1 કેનેડિયન નાગરિક અને 7 પોર્ટુગીઝ નાગરિકો સવાર હતા.
ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. પોલીસ અને વહીવટીતંત્રની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડ, NDRF અને કટોકટી સેવાઓને રાહત અને બચાવ કાર્યમાં તૈનાત કરવામાં આવી છે. ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે ગાંધીનગરથી NDRFની બે ટીમો ઘટનાસ્થળે મોકલવામાં આવી છે, જેમાં 90 સૈનિકોને તૈનાત કરવામાં આવ્યા છે.
કોણ છે એર ઇન્ડિયાનું વિમાન ઉડાડનાર કેપ્ટન સુમિત સભરવાલ?
અમદાવાદમાં એક મોટી વિમાન દુર્ઘટના બની છે. 242 મુસાફરોને લઈને જતું આ વિમાન ક્રેશ થયું છે. આ વિમાનના પાઇલટનું નામ કેપ્ટન સુમિત સભરવાલ છે. આ અકસ્માત અંગે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
પાઇલટ કોણ હતો, તેને કેટલો અનુભવ હતો
ANI એ DGCA ને ટાંકીને જણાવ્યું છે કે ક્રેશ થયેલ વિમાન કેપ્ટન સુમિત સભરવાલ ઉડાડી રહ્યા હતા. તેઓ 8200 કલાકનો અનુભવ ધરાવતા LTC છે. કો-પાઇલટને 1100 કલાકનો ઉડાનનો અનુભવ હતો. TC અનુસાર, વિમાને અમદાવાદથી રનવે 23 પરથી 1339 IST (0809 UTC) વાગ્યે ઉડાન ભરી હતી. રનવે 23 પરથી ઉડાન ભર્યા પછી તરત જ, વિમાન એરપોર્ટની પરિમિતિની બહાર જમીન પર પડી ગયું. અકસ્માત સ્થળ પરથી ભારે કાળો ધુમાડો નીકળતો જોવા મળ્યો.
બપોરે વિમાન ક્રેશ થયું
આજે બપોરે અમદાવાદ એરપોર્ટ નજીક મેઘાણી નગર વિસ્તારમાં આ વિમાન ક્રેશ થયું. તેમાં 242 મુસાફરો સવાર હતા. પોલીસે આ માહિતી આપી. ફાયર ઓફિસર જયેશ ખાડિયાએ જણાવ્યું હતું કે વિમાન પડી ગયા પછી તેમાં આગ લાગી હતી અને આગ ઓલવવા માટે ફાયર એન્જિનોને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે. આ વિમાન લંડન જઈ રહ્યું હતું. આ અકસ્માતમાં ઘણા લોકો ઘાયલ થયા હોવાની આશંકા છે. અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિકે જણાવ્યું હતું કે, "વિમાન એરપોર્ટ નજીક મેઘાણી નગરમાં ક્રેશ થયું હતું."