AMTS કંડક્ટરની હડતાલનો મામલો, આઉટ સોર્સિંગથી કરવામાં આવશે ભરતી
abpasmita.in | 14 Oct 2016 07:19 PM (IST)
અમદાવાદ: AMTS ના કંડક્ટરોની છેલ્લા ધણા સમયથી ચાલી રહેલી હડતાલના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે AMTS દ્વારા આઉટ સોર્સિંગથી કંડક્ટરોની ભરતી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લા ધણા સમયથી ચાલી રહેલી હડતાલના કારણે મુસાફરોની મુશ્કેલી દુર કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. કોન્ટ્રાક્ટ પરના 1200 જેટલા કર્મચારીઓ હડતાલ પર હોવાથી આશરે 200 જેટલી બસોને અસર થઈ રહી છે.