અમદાવાદઃ અમદાવાદમાં AIMIMના રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દીન ઔવેસીનો સ્થાનિકોએ વિરોધ કર્યો હતો. શહેરના જુહાપુરામાં જ સ્થાનિકોએ કાળા વાવટા ફરકાવી 'ઔવેસી તુમ વાપસ જાઓ'ના બેનરો બતાવ્યા હતા. ઓવૈસી કારમાં જુહાપુરા વિસ્તારમાં પહોંચ્યા હતા જ્યાં સ્થાનિકોએ કાળા વાવટા ફરકાવી વિરોધ કર્યો હતો. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ મહિલાઓ હતી.


આ સાથે 'અસદુદ્દીન ઔવેસી તુમ વાપસ જાઓ, વાપસ જાઓ'ના બેનરો સાથે સુત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો. અચાનક જ ઔવેસીનો વિરોધ કરવા લોકો આવતા AIMIMના કાર્યકર્તાઓ પણ દોડતા થઈ ગયા હતા.


રામનવમીના દિવસે ખંભાતમાં થયેલી હિંસા પણ અસદુદ્દીન  ઓવૈસીએ કહ્યું કે હિંસા હંમેશા હિંસા કહેવાય છે. આવી ઘટનાના સાચા વીડિયો બતાવવા જોઈએ. તેમણે કહ્યું કે આઈબીના ઈનપુટ હતા તો પહેલાથી જ આ ઘટનાને સરકાર રોકી શકતી હતી. કોઈ પણ જુલુસ નીકળે તો તેની પરવાનગી પોલીસ આપતી હોય છે. પોલીસે તેની જવાબદારીને લઈ રેલી સફળ કરવાની હોય છે.


મસ્જિદોમાં અઝાનના લાઉડસ્પીકરની જેમ મંદિરોમાં લાઉડસ્પીકરમાં હનુમાન ચાલીસ વગાડવા અંગે ઓવૈસીએ કહ્યું કે મંદિરોમાં લાઉડસ્પીકરમાં હનુમાન ચાલીસા વગાડવા એ સારી વાત છે, આરતી સવારે અમને ઉઠાડશે. તેમણે કહ્યું આરતી વગાડો, સરકાર તમારી છે, તમને શેનો ડર છે? તમે ઈચ્છો એ કરી શકો છો. 


 


આજથી ગુજરાતમાં પ્રચંડ ગરમીનો વધુ એક રાઉન્ડ, ખેડૂતો માટે હવમાન વિભાગે આપ્યા સારા સમાચાર, જાણો વિગતે


હાર્દિક પટેલે કર્યો મોટો ઘટસ્ફોટ, “કોંગ્રેસ નેતાઓ મારી હકાલપટ્ટી કરવા માંગે છે”


Shopian Encounter: ભારતીય સેનાએ જમ્મુ કાશ્મીરમાં બે આતંકીને કર્યા ઠાર, સેનાના બે જવાન શહીદ


AHMEDABAD : CNGમાં ભાવવધારાના વિરોધમાં 11 રીક્ષા એસોસિએશનની સામુહિક હડતાળ


Maharashtra News: મહારાષ્ટ્રના સોલાપુરમાં માત્ર 1 રૂપિયે લિટર વેચાયું પેટ્રોલ, જાણો શું છે ઘટના