અમદાવાદ : અમદાવાદના જાણીતા જ્યોતિષ બેજાન દારૂવાલાનું 89 વર્ષની વયે નિધન થયું છે. જ્યોતિષ બેજાન દારૂવાલાને લાંબા સમયથી શ્વાસ લેવાની તકલીફ હતી. બેજાન દારૂવાલાની અઠવાડીયા પહેલા તબિયત લથડતા તેઓને અમદાવાદ પાસે એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.


મુખ્યમંત્રી વિજય રુપાણીએ બેજાન દારૂવાલાના નિધન પર શ્રદ્ધાંજલિ પાઠવી છે. તેમણે કહ્યું, પ્રસિદ્ધ જ્યોતિષ શ્રી બેજાન દારૂવાલાના નિધનથી દુખી છું. હું દિવંગત આત્મા માટે પ્રાર્થના કરૂ છું. મારી સંવેદના.