અમદાવાદ: અમદાવાદના આશ્રમ રોડ પર આવેલા સાકા૨-7 નામના કોમ્પ્લેક્ષમાં આજે બપોરે ભીષણ આગ લાગી હતી. આગની દુર્ઘટનાની જાણ થતા ફાય૨ બ્રિગેડની ગાડીઓ પહોંચી હતી. અંદર ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ ઑપરેશન કરાયું હતું.


સાકાર 7માં અંદર ફસાયેલા લોકોને બહા૨ કાઢવાની કામગીરી ક૨વામાં આવી હતી. ફાયર બ્રિગેડની ગાડીઓએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગથી બચવા એક વ્યક્તિએ કોમ્પ્લેક્ષ પ૨થી છલાંગ પણ લગાવી હતી.

સાકાર 7માં લાગેલી આગમાં ચોથા માળેથી પગ સ્લીપ થતા એક વ્યક્તિ નીચે પટકાયા હતા. સાકાર 7 મા ટિકિટ બુક કરાવવા આવ્યા અને ક્રેન પહોંચવા છતાં બારીએથી છલાંગ લગાવી હતી.

ઇજાગ્રસ્ત હાલતમાં LG હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. નીચે પટકાતા માથાના ભાગે અને પગમાં ઈજા પહોંચી હતી.