અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. માવઠાની આગાહીના પગલે વાતાવરણમાં પલટો આવ્યો છે. ૧.૨૫ લાખ હેકટર પાક પર ખતરાની શક્યતા છે. આ ઉપરાંત સાબરકાંઠા જીલ્લાના વાતાવરણમાં વહેલી સવારે પલટો આવ્યો છે. હવામાન વિભાગની આજથી બે દિવસ જીલ્લામાં કમોસમી વરસાદની આગાહી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે હિમતનગરમાં વહેલી સવારથી આકાશ વાદળોથી ઘેરાયું હતું. હિમતનગરમાં ધુમ્મસ જેવું ધુંધળું વાતવરણ સર્જાયું છે.
ભરૂચમાં જિલ્લાભરમાં બે દિવસથી વાદળછાયું વતાવરણ સર્જાયું છે. જિલ્લાભરમાં ત્રણ દિવસના કોલ્ડવેવ બાદ વાદળછાયું વતાવરણ સર્જાયું છે. આકાશમાં સુરજની સંતાકુકડી રમતા દ્રશ્ય સર્જાયા છે.