અમદાવાદ: અમદાવાદ શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. શહરેના શ્યામલ, પ્રહલાદ નગર, શિવરંજની સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ છે. આજે દિવાળીનો તહેવાર છે ત્યારે જ અચાનક વાતાવરણમાં પલટો આવતા શહેરીજનો પણ ચિંતામાં મુકાયા છે.


હવામાન વિભાગની આગાહી મુજબ, અરબ સાગરના પૂર્વ અને મધ્યભાગમાં સર્જાઈ રહેલું ‘ક્યાર’ વાવાઝોડું દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં વરસાદ લાવી શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર માછીમારોને આગામી 2 દિવસ દરિયો ન ખેડવાની સલાહ આપી છે. વાવાઝોડાની દિશાના કારણે તે ગુજરાતને વધારે અસર કરશે નહીં. પરંતુ તેના કારણે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના કેટલાંક જિલ્લાઓમાં વરસાદ પડે તેવી સંભાવના છે.